CM Surat tour program: આવતીકાલે CM ભૂપેન્દ્રભાઈ પટેલ સુરતની મુલાકાતે, વાંચો મુખ્યમંત્રીના સમગ્ર કાર્યક્રમ વિશે
સુરત,૨૩ નવેમ્બર: CM Surat tour program: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.૨૪ નવેમ્બર ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી ૫.૨૫ વાગ્યે વનિતાવિશ્રામ ખાતે આયોજિત સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
- ૮.૧૫ વાગ્યે સુરતના ઝાંપાબજાર ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના સાહેબની શુભેચ્છા મુલાકાત લેશે.
- ૮.૪૫ વાગ્યે વેસુના બલર હાઉસમાં અધ્યાત્મનગરી ખાતે આયોજિત જૈનસમાજના દીક્ષા મહોત્સવ અંતર્ગત દીક્ષાર્થીઓના વધામણાંના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
CM Surat tour program: કાર્યક્રમ પૂર્ણ થયે અનૂકુળતાએ સુરત એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.