Train Route Change: અમદાવાદ-દરભંગા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે
અમદાવાદ, 13 માર્ચ: Train Route Change: પૂર્વોત્તર રેલવેના મઉ-શાહગંજ સેક્શનમાં દ્વિકરણ કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે. જેનું વર્ણન નીચે મુજબ છે :
- 17 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગ શાહગંજ-મઉ ના સ્થાને પરિવર્તિત માર્ગ શાહગંજ-જૌનપુર-ઔંડિહાર-મઉ ના રસ્તે ચાલશે.
- 19 માર્ચ 2024 ની ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારીત માર્ગ મઉ-શાહગંજના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા મઉ-ઔંડિહાર-જૌનપુર-શાહગંજના રસ્તે ચાલશે.
- 15 માર્ચ 2024 ની ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પોતાના નિર્ધારીત માર્ગ મઉ-શાહગંજ-અયોધ્યા કેન્ટના સ્થાને પરિવર્તિત માર્ગ છપરા-ભટની-ગોરખપુર-મનકાપુર-અયોધ્યાના રસ્તે ચાલશે.
ટ્રેનોના માર્ગ, રોકાણ અને સંરચનાના સંબંધમાં વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Advertisement