suicide

સાસરીયાના ત્રાસથી પીડિતાએ કરી આત્મહત્યા(Suicide), માતા-પિતાના વિરુદ્ધ જઇને કર્યા હતા પ્રેમ લગ્ન

Suicide

અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને યુવતીએ આપઘાત(Suicide) કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.તેમજ પરિણીતાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.શંકાની વહેમ રાખી પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.ઘરમાં પુરી રાખતો હતો.તેમજ માતાપિતા સાથે સ્પીકર ફોનથી વાત કરવા દેતો હતો.યુવતીએ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.અને આ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, પુત્રીએ આત્મહત્યા કર્યા બાદ મહિલાની માતાએ સાસરીયા વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે. તથા તેનો પતિ જે ત્રાસ આપતો હતો તેના વિશે માહિતી પોલીસને આપી છે.

આ પણ વાંચો….

બનાસકાંઠા જીલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અંબાજીમાં કરાટે કોચીંગ(karate coaching), 400 જેટલી વિદ્યાર્થીનીઓને અપાઇ તાલીમ