jayshree ramiah

સાઉથની આ અભિનેત્રીએ કરી આત્મહત્યાઃ ફાંસી લગાવીને આપ્યો પોતાનો જીવ

jayshree ramiah

બોલિવુડ ડેસ્ક, 26 જાન્યુઆરીઃ નવા વર્ષે મનોરંજન જગત માટે ખરાબ સમાચાર છે. 25 જાન્યુઆરીના રોજ કન્નડ એક્ટ્રેસ અને બિગબોસ કન્નડની પૂર્વ કન્ટેસ્ટેટ જયશ્રી રમૈયાએ આત્મહત્યા કરી લીધી છે. તે બેંગલુરુ સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતી હતી. અભિનેત્રીએ ત્યાં જ પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.

એક્ટ્રેસ ખૂબ જ ઘણા સમયથી ડિપ્રેશનનો શિકાર બની હતી. અને બેંગલુરુમાં તેની સારવાર ચાલી રહી હતી. જયશ્રી રમૈયા બિગબોસ સીઝન 3ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. વર્ષ 2020માં તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. વર્ષ 2020માં સોશ્યલ મીડિયા પર તેને આનો સંકેત પણ આપ્યો હતો કે માનસિક રૂપથી ઠીક નથી લાગી રહી.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જયશ્રી રમૈયાએ ફેસબુક પોસ્ટ દ્વારા ડિપ્રેશનનો શિકાર બન્યાની માહિતી આપી હતી. વર્ષ 2020માં સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તે ડિપ્રેશન અને આ સંસારને ક્વિટ કરી રહી છે. આ પછીથે તેના ફેન્સ અને શુભચિંતકો ખૂબજ ચિંતિત હતા. પછીથી તેણે લોકોની તસલ્લી માટે લખ્યું હતું કે હું એકદમ ઠીક છું અને સારી ફિલિંગ અનુભવી રહી છું. તમામને મારો પ્યાર. ત્યાર બાદ તેના ફેન્સને થોડી રાહત મળી હતી. પરંતુ ફેન્સને થોડી ખબર હતી કે આ સારા સમાચાર બસ થોડા સમય માટેના જ છે. મળેલી જાણકારી મુજબ જયશ્રી જીંદગીથી જંગ હારી ગઈ અને તેણે જીવનથી તંગ આવીને આપઘાત કરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો…

હવે તો હદ થઇઃ લાલ કિલ્લા પરથી તિરંગો હટાવીને, આંદોલનકારી ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો, જુઓ વીડિયો