Ahmedabad-Gorakhpur Express changed route: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે
Ahmedabad-Gorakhpur Express changed route: 26 જૂનની અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે
અમદાવાદ, ૨૨ જૂન: Ahmedabad-Gorakhpur Express changed route: નોર્થ ઈસ્ટર્ન રેલ્વેમાં ભટની-ઓરીહર સેક્શનના કીડિહરાપુર-બેલથરા રોડ સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ માટે નૉન-ઈન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર દોડશે. જેની વિગતો નીચે મુજબ છે:-
- 26 જૂન 2024ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ વારાણસી-મઉ-ભટની-ગોરખપુર ને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-અયોધ્યા કેન્ટ-ગોરખપુર થઈને દોડશે. આ ટ્રેન મઉ, ભટની અને દેવરિયા સદર સ્ટેશને નહીં જાય.
આ પણ વાંચો:- Okha-Veraval Route change: ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે,મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.