train 4

Train Passengers Alert: 05 જુલાઈથી આ ટ્રેન અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

Train Passengers Alert: 05 જુલાઈથી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બદલાયેલા સમય સાથે અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે

google news png

રાજકોટ, 23 જૂન: Train Passengers Alert: પશ્ચિમ રેલવે, અમદાવાદ ડિવિઝનના અમદાવાદ જંક્શન સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્ય માટે પ્લેટફોર્મ નંબર 8 પર બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે અમદાવાદ સ્ટેશન પરથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો અમદાવાદ સ્ટેશનનો સ્ટોપેજ 70 દિવસ માટે અસ્થાયી રૂપે રદ કરવામાં આવ્યો છે.

તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

આ પણ વાંચો:- Employees Honored: રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને ડીઆરએમ દ્વારા સન્માનિત કરાયા

ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 05.07.2025 થી 12.09.2025 સુધી અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર કુલ 10 મિનિટ ઊભી રહેશે. આ ટ્રેનનો સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો બદલાયેલો સમય અનુક્રમે 06:48/06:58 કલાકે રહેશે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

ઉપરોક્ત ટ્રેનના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

BJ ADVT
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો