Canceled Train Update: અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Canceled Train Update: પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને કારણે, અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.

અમદાવાદ, 11 ઓકટોબર: Canceled Train Update: ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (આરઆરઆઈ) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (ઈઆઈ )માં રૂપાંતરિત કરવાને કારણે, અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:
- 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ
- 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ
આ પણ વાંચો:- UPI lite Transaction Update: UPI ટ્રાન્ઝેક્શન હવે વધુ સરળ બનશે; વાંચો વિગત
પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:
- 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09447 અમદાવાદ-પટના સુપરફાસ્ટ સ્પેશિયલને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ પરિવર્તીત માર્ગ વાયા પંડિત દીન દયાલ ઉપાધ્યાય-લખનૌ-કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22468, ગાંધીનગર કેપિટલ-વારાણસી એક્સપ્રેસ ને વારાણસી-લખનૌ-કાનપુર સેન્ટ્રલ-ગોવિંદપુરી-ભીમસેન ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ – લખનૌ – કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
- 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈ ના માર્ગ પર ચલાવવામાં આવશે.

શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો:
- 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22967 અમદાવાદ-પ્રયાગરાજ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ (સમાપ્ત) થશે.
- 18 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22968 પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસ પ્રયાગરાજ છિવકી સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (પ્રારંભ) થશે.
મુસાફરો કૃપા કરીને ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.