Somnath Mahadev: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર; જુઓ તસ્વીર
Somnath Mahadev: ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

સોમનાથ, ૧૧ ઓગસ્ટ: Somnath Mahadev: ભગવાન સોમનાથ મહાદેવ ને આજે ખાસ શ્રાવણી સોમવાર ને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો.

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો.
આ પણ વાંચો:- How to grow millet: પોષકતત્વોનો ખજાનો બાજરો: જાણો પ્રાકૃતિક ખેતીથી બાજરો ઉગાડવાની રીત
આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવેલ. જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.
