રાજ્યમાં કોરોના (Covid-19)સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ના વધુ એક મહત્વનો નિર્ણય
ગાંધીનગર, ૧૯ માર્ચ: રાજ્યમાં કોરોના સંક્રમણના (Covid-19)વધતા કેસોની વર્તમાન સ્થિતીને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓ ના વ્યાપક હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે.
શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ આ નિર્ણય ની જાણકારી આપતા જણાવ્યું છે કે રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવશે. આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરો માં આ વ્યવસ્થા અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય શ્રી વિજય ભાઈ રૂપાણી એ કર્યો છે એમ શિક્ષણ મંત્રીશ્રી એ ઉમેર્યું છે.