Canceled Train Update: કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રદ્દ
Canceled Train Update: ડબલિંગ કાર્યના કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો ૧૫ સપ્ટેમ્બર સુધી આંશિક રદ્દ
રાજકોટ, ૨૨ ઓગસ્ટ: Canceled Train Update: રાજકોટ ડિવિઝનમાં આવેલા લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલ ડબલિંગ કામગીરીના કારણે ૨૩ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો આંશિક રીતે રદ્દ રહેશે. વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ્દ કરાયેલી ટ્રેનો:
- ટ્રેન નં. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ લોકલ ૨૩.૦૮.૨૦૨૫ થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી ગોપ જામ-કાનાલુસ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.
- ટ્રેન નં. ૫૯૨૦૫ કાનાલુસ-પોરબંદર લોકલ ૨૩.૦૮.૨૦૨૫ થી ૧૫.૦૯.૨૦૨૫ સુધી કાનાલુસ-ગોપ જામ વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે.

મુસાફરો તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને તપાસ કરે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
