Ganpati train

Ganpati Special Trains: વિશ્વામિત્રી થી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેનો ચાલશે

Ganpati Special Trains: પશ્ચિમ રેલ્વે વિશ્વામિત્રી થી રત્નાગિરી માટે ગણપતિ સ્પેશલ ટ્રેનો ચલાવશે

વડોદરા, ૧૯ ઓગસ્ટ: Ganpati Special Trains: ગણપતિ ઉત્સવ 2025 દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને સમાયોજિત કરવાના ઉદેશ્ય થી પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વામિત્રી-રત્નાગિરી- વિશ્વામિત્રી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવશે.
આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

  1. ટ્રેન નં. 09120/09119 વિશ્વામિત્રી – રત્નાગિરી- વિશ્વામિત્રી (સાપ્તાહિક) સ્પેશલ [03 ફેરા]

ટ્રેન નંબર 09120 વિશ્વામિત્રી – રત્નાગિરી સ્પેશલ સોમવારે વિશ્વામિત્રી થી 08:00 વાગ્યે ઉપડશે અને એ જ દિવસે 20:00 વાગ્યે રત્નાગિરી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 01 અને 08 સપ્ટેમ્બર, 2025 ચાલશે.

OB banner

તેવી જ રીતે, ટ્રેન નંબર 09119 રત્નાગિરી – વિશ્વામિત્રી સ્પેશલ (Ganpati Special Trains) સોમવારે રત્નાગિરીથી 21:00 વાગ્યે ઉપડશે અને તે બીજા દિવસે 11:45 વાગ્યે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 25 ઓગસ્ટ અને 01 અને 08 સપ્ટેમ્બર, 2025 ચાલશે.

આ પણ વાંચો:Budh Pradosh Vrat 2025: આવતી કાલે બુધ પ્રદોષ વ્રત , જાણો પૂજા-વિધિ સહિત આ દિવસનું મહત્વ

આ ટ્રેન બંને દિશાઓ માં ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દહાનુ રોડ, પાલઘર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ, પેન, રોહા, માનગાંવ, વીર, કરંજાડી, ખેડ, ચિપલુન, અને સંગમેશ્વર રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

ટ્રેન નંબર 09120 નું બુકિંગ 20 ઓગસ્ટ, 2025 થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

ઉપરોક્ત ટ્રેનો ખાસ ભાડા પર સ્પેશલ ટ્રેનો તરીકે ચાલશે . ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો