Jodhpur Train: ગાંધીધામ – જોધપુર સ્પેશિયલ ટ્રેન સેવા ફરી શરૂ

Railways banner

Jodhpur Train: 06 જુલાઈથી ગાંધીધામ – જોધપુર સ્પેશિયલ ટ્રેન સેવા ફરી શરૂ

અમદાવાદ , ૦૩ જુલાઈ: Jodhpur Train: રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ – જોધપુર સ્પેશિયલ ટ્રેન ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે: –

1. ટ્રેન નંબર 02484 ગાંધીધામ-જોધપુર સ્પેશિયલ 06 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે દોડશે.

2. ટ્રેન નંબર 02483 જોધપુર – ગાંધીધામ સ્પેશિયલ 05 જુલાઇ 2021 થી આગળની સૂચના સુધી આગામી સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે.

આ પણ વાંચો…Ban on stock of pulses: કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક આદેશથી દાળો પર લાગુ કરવામાં આવી સ્ટોક મર્યાદા- વાંચો વધુ વિગત

મુસાફરો ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્પેશિયલ ટ્રેનોની સંરચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે.

પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.