Prayagraj Rambagh Station: પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર આ ચાર ટ્રેનોનું સ્ટોપેજ રદ
પ્રયાગરાજ રામબાગ સ્ટેશન (Prayagraj Rambagh Station) પર ચાર ટ્રેનોનું 23 ઓગસ્ટ સુધી સ્ટોપેજ રદ કરવામાં આવ્યું છે.
અમદાવાદ, 14 ઓગસ્ટ: Prayagraj Rambagh Station: ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી ડિવિઝનના પ્રયાગરાજ રામબાગ સ્ટેશન પર લાઇન નંબર 4 અને 6 પર એન્જિનિયરિંગના કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે, અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ અને અમદાવાદ-પટના એક્સપ્રેસ (સાપ્તાહિક) ટ્રેનોને સ્ટોપેજ પ્રયાગરાજ રામબાગ સ્ટેશન ખાતે તાત્કાલિક અસરથી 23 ઓગસ્ટ 2024 સુધી રદ કરવામાં આવ્યું છે.
સ્ટોપેજ રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
આ પણ વાંચો:- 78th Independence Day: હું તો બહુ જ દેશપ્રેમી છું……વૈભવી જોશી
• ટ્રેન નંબર 15559 દરભંગા-અમદાવાદ અંત્યોદય એક્સપ્રેસ
• ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ
• ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ
• ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો