Train ac coach

Rail traffic affected in Rajkot division: પડધરીમાં આવેલા બ્રિજની મેન્ટેનન્સ કામગીરીને કારણે રેલ વ્યવહાર ને અસર

google news png

રાજકોટ, 06 જૂન: Rail traffic affected in Rajkot division: રાજકોટ ડિવિઝનમાં પડધરી ખાતે આવેલા બ્રિજ નંબર 263ની મેન્ટેનન્સ ની કામગીરીને કારણે 7 જૂન થી 9 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

1) 7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર થી ઉપડીને સુરેન્દ્રનગર સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2) 8 જૂન અને 9 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાને બદલે સુરેન્દ્રનગર થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

3) 7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ ઓખા થી ઉપડીને હાપા સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4) 7 જૂન અને 8 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ રાજકોટ ને બદલે હાપા સ્ટેશન થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો