Rajkot-Bhavnagar train: રાજકોટ થી ભાવનગર માટે સ્પેશિયલ ટ્રેન
Rajkot-Bhavnagar train: 13 જુલાઈના રોજ રાજકોટ થી ભાવનગર માટે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

રાજકોટ, 12 જુલાઈ: Rajkot-Bhavnagar train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 13 જુલાઈ, 2024 ના રોજ રાજકોટ-ભાવનગર અને ભાવનગર-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન (અનરિજર્વ્ડ) ની એક-એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે. જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ રાજકોટ થી 13.07.2024 ના રોજ સવારે 4.30 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 13.07.2024 ના રોજ રાત્રે 18.00 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 3.00 કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુંડીહાર, લાઠી, ધાસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ હશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનો માત્ર એક દિવસ માટે દોડાવવાની છે.
ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.