train 10

Rajkot-Veraval Passenger Train: રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

Rajkot-Veraval Passenger Train: મુસાફરોની સુવિધા માટે રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે

રાજકોટ, 01 નવેમ્બર: Rajkot-Veraval Passenger Train: મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂપે 11 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિગતો નીચે મુજબ છે:

  • ટ્રેન સં. 59421 (રાજકોટ–વેરાવળ પેસેન્જર) (Rajkot-Veraval Passenger Train) માં તારીખ 31 ઑક્ટોબર, 2025 થી 31 ડિસેમ્બર, 2025 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.
  • ટ્રેન સં. 59422 (વેરાવળ–રાજકોટ પેસેન્જર) માં તારીખ 01 નવેમ્બર, 2025 થી 01 જાન્યુઆરી, 2026 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

આ પણ વાંચો:- ADI Run for unity: અમદાવાદ મંડળમાં “રન ફોર યુનિટી”નું ભવ્ય આયોજન

આ અસ્થાયી વધારો આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની વધુ ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળી શકે અને તેમની યાત્રા સરળ અને સુરક્ષિત બની શકે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો