Trains rescheduled: રાજકોટ મંડળની આ ટ્રેનો 2 જુલાઇ સુધી રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે
Trains rescheduled: ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 2 જુલાઈ સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે
![Trains rescheduled: રાજકોટ મંડળની આ ટ્રેનો 2 જુલાઇ સુધી રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે 2 google news png](https://gujarati.deshkiaawaz.in/wp-content/uploads/2024/05/google-news-png.png)
રાજકોટ, ૩૦ જૂન: Trains rescheduled: ટેકનિકલ કારણોસર, ઓખા-વેરાવળ અને વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનો 30 જૂનથી 2 જુલાઈ, 2024 દરમિયાન ડાઈવર્ટ કરાયેલા રૂટ પર રિશેડ્યુલ કરાયેલ સમય પર દોડશે. વિગતો નીચે મુજબ છે:
- ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસ 30.06.2024 થી 02.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈ ને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય કરતાં 5 કલાક 45 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.
આ પણ વાંચો:- Ravindra Jadeja Retirement: રવિન્દ્ર જાડેજાએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી; ટેસ્ટ અને વનડેમાં રમત ચાલુ રહેશે
- ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ 30.06.2024 થી 02.07.2024 સુધી ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા જેતલસર-વાંસજાલિયા-કાનાલુસ થઈને દોડશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળ થી તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક 55 મિનિટ મોડી એટલે કે 03.00 વાગ્યે ઉપડશે.
મુસાફરો ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.