કોરોનાથી હાઈકોર્ટના જજ જી.આર.ઉધવાણીનું નિધન
અમદાવાદ, ૦૫ ડિસેમ્બર: ગુજરાતમાં કોરોનાના સંક્રમણે હાઈકોર્ટના જસ્ટિસનો ભોગ લીધો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે. જસ્ટિસ જી.આર.ઉધવાણી છેલ્લા 15 દિવસથી સાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન કોરોનાથી જસ્ટિસ ઉધવાણીનું નિધન થયું છે.16 દિવસ પહેલા દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જસ્ટિસ જી. આર. ઉધવાણી, જસ્ટિસ એ.સી. રાવ અને જસ્ટિસ આર. એમ. સરીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.