તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના: મુખ્યમંત્રીશ્રી
અમદાવાદ, ૧૬ નવેમ્બર: તહેવારોમાં ખરીદી અને ઉજવણીને કારણે આવનારા દિવસોમાં કોરોના કેસની સંખ્યા વધવાની સંભાવના રહેલી છે ત્યારે રાજ્યનું આરોગ્ય માળખું સંપૂર્ણ સજજ છે:મુખ્યમંત્રીશ્રી
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આ માટે સમીક્ષા બેઠક આજે યોજવાના છે. અમદાવાદ ની મેડીસિટી-સિવિલ હોસ્પિટલ ખાતેની કેન્સર હોસ્પિટલ અને કિડની હોસ્પિટલને ફરીથી કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલમાં તબદીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓ અને ગ્રામ્ય કક્ષાની હોસ્પિટલોની પણ સજ્જતા સુનિશ્ચિત કરવામાં આવી છે. તહેવારો પર આરોગ્ય કર્મીઓની રજા પણ રદ કરવામાં આવી છે. સંક્રમીતોને પૂરતી સારવાર મળી રહે તેની ચિંતા રાજ્ય સરકારે કરી છે તેમ તેઓએ ઉમેર્યુ હતું.