rjt samvad

Amrut Samvad: રાજકોટ મંડળના મોરબી અને હાપા સ્ટેશનો પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન

Amrut Samvad: મુસાફરો સાથે સીધો સંવાદ કરી રેલવે સેવાઓને વધુ જનકેન્દ્રિત અને અસરકારક બનાવવા દિશામાં પ્રશંસનીય પહેલ

રાજકોટ, ૧૫ ઓક્ટોબર: Amrut Samvad: રાજકોટ ડિવિઝનના મોરબી અને હાપા સ્ટેશનો પર “અમૃત સંવાદ” કાર્યક્રમ – મુસાફરો સાથે સીધો સંવાદ કરીને રેલવે સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની પહેલ

મુસાફરો સાથે સીધો સંવાદ કરીને અને તેમના સૂચનો મેળવીને રેલવે સેવાઓને વધુ લોકાભિમુખ, પારદર્શી અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્યથી “સ્પેશિયલ કેમ્પેઇન ૫.૦” અંતર્ગત આજે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં મોરબી અને હાપા રેલવે સ્ટેશનો પર “અમૃત સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ અવસર પર અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ સ્થાપિત કરીને સ્ટેશન પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓ અને તાજેતરમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોની માહિતી વહેંચી. મુસાફરોએ “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ કરવામાં આવેલા સુધારાઓની પ્રશંસા કરી – જેમ કે સુધારેલા પ્રતીક્ષા ખંડ (વેઇટિંગ રૂમ), આકર્ષક સ્ટેશન બિલ્ડિંગ, સ્વચ્છ શૌચાલય, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ તથા “વન સ્ટેશન વન પ્રોડક્ટ” સ્ટોલ.

સંવાદ દરમિયાન મુસાફરો પાસેથી સ્ટેશન પર મુસાફર સુવિધાઓમાં વધુ સુધારા માટે મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા.

અધિકારીઓએ મુસાફરોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકતા પ્રત્યે જાગૃત કરતાં રેલવેના સતત વિકાસમાં તેમની સક્રિય ભાગીદારી માટે આહ્વાન કર્યું.

“અમૃત સંવાદ” કાર્યક્રમ મુસાફરો અને રેલવે પ્રશાસન વચ્ચે પરસ્પર સંવાદ અને સહયોગને સશક્ત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે, જે ભવિષ્યમાં રેલવે સેવાઓને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને લોકાભિમુખ બનાવવામાં સહાયક થશે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો