Kingfisher House sold: 8 વાર ફેલ થયા પછી આખરે વેચાઈ ગઈ માલ્યાની આ પ્રાપર્ટી- વાંચો વિગત
Kingfisher House sold: લેન્ડર્સ દ્વારા કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપરને 52 કરોડમાં વેચવામાં આવ્યું હતું. અગાઉ કિંગફિશર હાઉસ વેચવાના અનેક પ્રયાસો બાદ પણ ધિરાણકર્તા ખરીદનાર શોધી શક્યા ન હતા
બિઝનેસ ડેસ્ક, 17 ઓગષ્ટઃ Kingfisher House sold: Kingfisher House sold: વિજય માલ્યાની બેંકરપ્ટ થઈ ગઈ કંપની કિંગફિશરનો હેડક્વાર્ટર રહ્યો કિંગફિશર હાઉસ લાખ કર્જદારોએ કિંગફિશર હાઉસને વેચવાની કોશિશ કરી હતી પણ રિજર્વ પ્રાઈસ વધારે રાખવાના કારણે ડીલ નથી થઈ રહી હતી 8 વાર હરાજી ફેલ થઈ હતી.
ધિરાણકર્તાઓએ આખરે ભાગી ગયેલા દારૂના ઉદ્યોગપતિ વિજય માલ્યાની માલિકીનું કિંગફિશર હાઉસ જે અત્યારે બંધ કિંગફિશર એરલાઇન્સનું મુખ્ય મથક છે તે વેચી દીધું છે. લેન્ડર્સ દ્વારા કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપરને 52 કરોડમાં વેચવામાં આવ્યું હતું. અગાઉ કિંગફિશર હાઉસ વેચવાના અનેક પ્રયાસો બાદ પણ ધિરાણકર્તા ખરીદનાર શોધી શક્યા ન હતા.
ધિરાણકર્તાઓએ માર્ચ 2016માં પ્રથમ વખત 150 કરોડની રિઝર્વ પ્રાઇસ સાથે મિલકતની હરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી મિલકતની હરાજી કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ નિષ્ફળ રહ્યા. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે. કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ગ્રાઉન્ડ ફ્લોર અને એક અપર ફ્લોર છે. આ ઇમારતનો સમગ્ર વિસ્તાર આશરે 1586 ચોરસ મીટર છે. જે 2,402 ચોરસ મીટરના પ્લોટ પર બાંધવામાં આવ્યો છે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, બેંકોએ તેની યોગ્ય કિંમત રાખી ન હતી. આ બિલ્ડિંગ મુંબઈ એરપોર્ટની બહારની હદમાં આવેલું છે, જેનાથી તેના વિકાસ માટે વધારે અવકાશ નથી.

