Jan Abhiyan in Gujarat: રાજ્યના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જન અભિયાન યોજાશે
Jan Abhiyan in Gujarat: રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન જન અભિયાન યોજાશે
- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાનમાં સહભાગી થશે
- “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના આહવાન ને ઝિલી લેવા ગુજરાત પ્રતિબદ્ધ
અમદાવાદ, 13 જાન્યુઆરીઃ Jan Abhiyan in Gujarat: અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.૧૪/૦૧/ ૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.
ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે. તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાન નું જન આદોલન હાથ ધરાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં આવતી કાલે રવિવાર, ૧૪ જાન્યુઆરી, મકર સંક્રાંતિના દિવસે સવારે ૯ ૩૦ વાગ્યે અમદાવાદ ના મેમનગર વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થશે.
આ પણ વાંચો… PM Modi Greeted Countrymen on Lohri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોહરી પર દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો