National Symposium: જમ્મુ કાશ્મીર અને લડાખના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા સહિતના મુદ્દે અમદાવાદમાં નેશનલ સિમ્પોઝીયમ
National Symposium: ૨૫ ઓગસ્ટે જમ્મુ કાશ્મીર સ્ટડી સેન્ટર અને ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું આયોજન
અમદાવાદ , ૨૪ ઓગસ્ટ: National Symposium: આગામી ૨૫ ઓગસ્ટ બુધવારના રોજ જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર ગુજરાત એકમ અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ સિમ્પોઝિયમનું આયોજન યુનિવર્સિટીના કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે.
આ સિમ્પોઝિયમનો (National Symposium) મુખ્ય વિષય “કલમ ૩૭૦ની નાબૂદી બાદ બે વર્ષ પછીની જમ્મુ કાશ્મીર અને લડાખની સ્થિતિ તેમજ થયેલા પરિવર્તનો” રહેશે. જમ્મુ કાશ્મીર અને લડાખના લેફ્ટેનેન્ટ ગવર્નર મનોજ સિંહા વેબમાધ્યમથી આ સિમ્પોઝિયમ જોડાશે. આ કાર્યક્રમ બ્લેન્ડેડ મોડમાં એટલે કે ઓનલાઇન + ઓફલાઇન પદ્ધતિથી યોજાશે.
ISRO-LPSC Recruitment 2021: ISRO-LPSC માં 10મા પાસ માટે ભરતી આજથી આવેદન શરુ- વાંચો વિગત
આ સમગ્ર દિવસના નેશનલ સિમ્પોઝિયમમાં (National Symposium) જમ્મુ-કાશ્મીર સ્ટડી સેન્ટર, નવી દિલ્હીના નિયામક શ્રી આશુતોષ ભટનાગર, સુપ્રીમ કોર્ટના વકીલ સંજય ત્યાગી, જમ્મુ કશ્મીરના ધારાસભ્ય અજેય ભારતી, જમ્મુ-કાશ્મીર ઈકોનોમીક ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ ડાયલોગના નિયામક સુનીલ શાહ, પત્રકાર કિશોર મકવાણા, ઓટીટી ઇન્ડિયાના સીઈઓ વિવેક ભટ્ટ વગેરે કલમ ૩૭૦ની નાબૂદી બાદ નવા ડોમિસાઈલ રૂલ, ડીલીમીટેશન, ગત બે વર્ષમાં જમ્મુ-કાશ્મીર લદાખમાં થયેલ વિકાસ કાર્યો તેમજ તેના આર્થિક વિકાસમાં ગુજરાતની ભૂમિકા જેવા વિષયો ઉપર વાર્તાલાપ, વિશ્લેષણ થશે.
કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯.૩૦ કલાકે થશે.
ડૉ શિરીષ કાશીકર, મીડિયા સંયોજક