રાજ્ય સરકારે કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો અમલ સમય લંબાવ્યો, 15 એપ્રિલ સુધી રાત્રિ કરફ્યુ(night curfew) યથાવત

ગાંધીનગર, 30 માર્ચઃ ગુજરાતમાં કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અંગેની ભારત સરકારની ગાઇડ લાઇન્સનો અમલ આગામી તા.૩૦ એપ્રિલ-ર૦ર૧ સુધી લંબાવવામાં આવ્યો છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ (night curfew)માર્ગદર્શિકા આગામી તા.૩૦ એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત, રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ (night curfew) અમલમાં છે તે પણ આગામી તા.૧પ એપ્રિલ-ર૦ર૧ સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.

આ પણ વાંચો…
ગાંધીનગર સર્કિટ હાઉસ(Circuit House) આવ્યું કોરોનાની ઝપેટમાં, 17 કર્મચારી આવ્યા પોઝિટિવ