JMC Pneumococcal conjugate vaccine

Pneumococcal conjugate vaccine: બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા જામનગર જિલ્લામાં નવી રસીનું લોન્ચીંગ કરાયુ

Pneumococcal conjugate vaccine: બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવ જેવા જીવલેણ રોગથી રક્ષિત કરવા જામનગર જિલ્લામાં નવી રસી ન્યુમોકોકલ કોંજુગેટ (PCV) નું લોન્ચીંગ કરાયુ

  • આ રસી બાળ મરણનું પ્રમાણ ઘટાડવા માટે ઉપકારક સાબિત થશે
  • ૨ થી ૨.૫ હજારમાં મળતી આ રસી રાજ્ય સરકાર દ્વારા નિ:શૂલ્ક પુરી પાડવામાં આવશે

જામનગર, ૨૦ ઓક્ટોબર: Pneumococcal conjugate vaccine: ભારત સરકારના નિયમિત રસીકરણ કાર્યક્રમમાં એક નવી વેક્સિન ન્યુમોકોકલ કોંજુગેટ PCVને સરકાર દ્વારા શામેલ કરવામાં આવી છે. બાળકોમાં ન્યુમોકોકસ બેક્ટેરિયા દ્વારા થનારી બીમારીઓ જેવી કે ન્યુમોનિયા તથા મગજના તાવ સામે સુરક્ષા પ્રદાન કરવામાં આ રસી મદદરૂપ સાબીત થશે. ન્યુમોકોકલ બીમારીના કારણે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે અને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે તેમજ પરિવાર પર ભારે આર્થિક ભારણ આવી શકે છે.

આ પણ વાંચો…Pneumococcal conjugate vaccine: CM પટેલે આદિજાતિ વિસ્તાર છોટાઉદેપૂર જીલ્લામાં PCV વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

ન્યુમોનિયા ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુનું એક મુખ્ય કારણ છે અને ન્યુમોકોકસ બેકટેરિયા એ ન્યુમોનિયાનું મુખ્ય કારણ છે. PCV વેકસીન ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયાના મુખ્ય કારણ ન્યુમોકોકલ ન્યુમોનિયા સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક માધ્યમ છે. ખાનગી ક્ષેત્રે ૨ થી ૨.૫ હજારમાં મળતી આ PCV રસી દેશભરમા નિયમિત રસીકરણ અંતર્ગત સરકાર દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

Jamnagar, Pneumococcal conjugate vaccine

જામનગર જિલ્લામાં દરેડ ખાતેથી જિલ્લા કક્ષાના PCV વેક્સીન લોંચીગ કાર્યક્રમની જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી‌‌‌, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવારના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય સમિતીના ચેરમેન જગદિશભાઇ સંગાણી, સરપંચ રમીલાબેન રૂપાપરા, ટી.એચ.ઓ. ડો.ગુપ્તા, જિલ્લા પંચાયત સદસ્ય વિનોદભાઇ વાડોદરીયા તથા કમલેશભાઇ ધમસાણીયા, ટી.ડી.ઓ. સરવૈયા સહિતના આગેવાનો તથા ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતમાં સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

જ્યારે જામનગર શહેરમાં મહાનગરપાલિકા કક્ષાના કાર્યક્રમનો મેયર બીનાબેન કોઠારી, મ્યુ. કમીશનર વિજય ખરાડી, આરોગ્ય સમિતીના ચેરમેન ડીમ્પલબેન રાવલ, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો હતો.

Whatsapp Join Banner Guj

રાજ્ય સરકાર દ્વારા મિશન ઈન્દ્રધનુષ, બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, દુધ સંજીવની યોજના વગેરે જેવા બાળ આરોગ્ય લક્ષી કાર્યક્રમો અમલમાં છે. ત્યારે ન્યુમોકોકલ કોંજુગેટ PCVને પણ સરકાર દ્વારા બાળકોના નિયમીત રસીકરણના કાર્યક્રમમાં સમાવવામાં આવતા તે બાળકોમાં ન્યુમોનીયા જેવા ગંભીર રોગો સામેના રક્ષણનું અમોઘ શસ્ત્ર સાબીત થશે.