Boycott of Chinese goods: ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવર ની મુક્તિ માટે જિલ્લા સમહર્તા ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Boycott of Chinese goods: ભારત તિબ્બત સંઘ જામનગર શહેર મહિલા વિભાગ દ્વારા ચાઈનીઝ વસ્તુઓના બહિષ્કાર અને કૈલાસ માનસરોવર ની મુક્તિ માટે જિલ્લા સમહર્તા ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
- Boycott of Chinese goods: 20 ઓક્ટોમ્બરને કાળો દિવસ મનાવી ચાઈનીઝ વસ્તુના બહિષ્કારનો સંકલ્પ કરાયો
અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૦ ઓક્ટોબર: Boycott of Chinese goods: 20 ઓક્ટોમ્બર 1962 ના ચીને ભારત ઉપર આક્રમણ કર્યું હતું અને દેશ ની સંસ્કૃતિ અને સંપત્તિ ને નુકશાન પોહચાડ્યું હતું ત્યારે ભારત તિબબત સંઘ દ્વારા આ દિવસ ને કાળો દિવસ જાહેર કરી જિલ્લા મહાનગરો માં આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
જામનગરમાં પણ આ અંગે નો કાર્યક્રમ ભારત તિબ્બત મહિલા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા શહેર અધ્યક્ષ ડિમ્પલબેન રાવલ, પાયલબેન શર્મા, દિશીતા પંડયા,પૂર્ણિમાબેન નંદા, રીટાબેન ઝીંઝુવાડિયા, આશાબેન કટારમલ, મીનાક્ષીબેન રાયઠઠા અને પ્રાંત યુવા પાંખ પ્રદેશ મંત્રી કર્મભાઈ ઢેબર ઉપસ્થિત રહ્યા હતા.