def163aa 6938 48fa bd01 d19ff0528c90

એન્ટીવાઈરસ કામગીરી: એક વર્ષમાં ૭ લાખથી વધુ ઘર સેનિટાઈઝ કર્યા, ગામે-ગામ સેનીટાઇઝ(sanitizer) કરતી ટીમ બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનનો કરે છે ઉપયોગ

• “ચેઝ એન્ડ એલિમિનેટ”ની રણનીતિ અપનાવી ગામે-ગામ સેનીટાઇઝ કરતી ટીમ બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનનો કરે છે ઉપયોગ
• પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમ તૈનાત- કોલ્ડ ફોગર મશીન, નેપસેક પંપ લઇ જ્યાં કોવિડ કેસ આવે ત્યાં પહોચી જાય છે
•અમદાવાદ જિલ્લા પંચાયતે ૬ તાલુકા અને ૪૬૪ ગામના ૭,૩૯,૭૬૩ ઘરોને કર્યા સેનીટાઇઝ(sanitizer)- જિલ્લાની ૩૪,૫૯,૫૬૦ વસ્તીને લાભ

અહેવાલઃ ઉમંગ બારોટ

અમદાવાદ, 04 મેઃ કોરોનાના વધતા કેસોના કારણે અમદાવાદના આ જિલ્લામાં અનોખી પહેલ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા પંચાયતે તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના ૭,૩૯,૭૬૩ ઘરોને છેલ્લા એક વર્ષમાં સેનીટાઇઝ(sanitizer) કર્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતે ગત વર્ષે ૩ મે ના રોજ એક સાથે ૪૬૪ ગામ સેનીટાઇઝ કરી કોરોના નિયંત્રણની પ્રભાવક રીત અમલમાં મુકી હતી. સાણંદ, વિરમગામ, બાવળા, ધોળકા, ધંધુકા, બારેજા તાલુકા મથકો અને ૪૬૪ ગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લાની આશરે ૩૪,૫૯,૫૬૦ વસ્તીને એન્ટિવાઇરસ કામગીરી – સેનીટાઇઝેશન થકી સુરક્ષીત કરવામાં આવી છે.

sanitizer

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુના જણાવ્યા મુજબ જિલ્લાના કુલ ૧૮૯ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ૨૫ સુપરવાઈઝર(sanitizer) અને મેલેરિયા શાખાના ૧૦ કર્મીઓ છેલ્લા એક વર્ષથી માસ સેનીટાઈઝેશનની કામગીરીમાં જોડાયેલા છે. જરૂર પડ્યે આ કર્મીઓ રાજાના દિવસોમાં પણ ફરજ પર તૈનાત રહે છે.

sanitizer

જિલ્લા આરોગ્ય અધિકારી નરેન્દ્ર રાઠોડ જણાવે છે કે, બાઇક, રીક્ષા, ટ્રક અને ડ્રોનની મદદ વડે ગામે ગામ સેનીટાઇઝ(sanitizer) કરતી ટીમ કોરોના વાઇરસ માટે ચેઝ એન્ડ એલિમિનેટની રણનિતી અપનાવે છે. અમદાવાદ જિલ્લા પંચાયત સોલા સિવિલ હોસ્પિટલમાં પણ સેનીટાઇઝેશન કામગીરી સંભાળે છે.

તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીઠ એક ટીમને કોલ્ડુ ફોગર મશીન તથા બે નેપસેક પંપ સહિતના જરૂરી સાધનો ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝીટીવ કેસ મળે કે તુરંત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટા ફ દ્વારા જે-તે વિસ્તાથરમાં સેનીટાઇઝેશનની સમયસર કામગીરી કરવામાં આવે છે.
વિહીકલ માઉન્ટેડ મશીન એટલે કે વોટર કેનન ફોગર મશીનનો ઉપયોગ કરી જાહેર રસ્તા સેનીટાઇઝ કરાય છે. વોટર કેનન ફોગર મશીન ૧૦૦૦ લીટર પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી ધરાવે છે, જેમાં ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુગશન વાપરવામાં આવે છે. સેનીટાઇઝેશન કામગીરીથી વાયરસનો નાશ થાય છે. જે કોરોના અટકાયતી પગલાં માટેની એક અગત્યની કામગીરી છે.

sanitizer

કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. કોવિડ૧૯ દર્દીના ઘરમાં તથા ઘરની આજુબાજુ સેનીટાઇઝેશન એટલે કે જીવાણુનાશક દવાનો છંટકાવ એ સંક્રમણ ખાળવાનો કારગર ઉપાય છે. સેનીટાઇઝેશનથી વસ્તુ-જગ્યાની સપાટી(સરફેસ) પર રહેલા વાયરસનો નાશ થાય છે.

સેનિટાઇઝેશનના પ્રકારો કેટલા ?
સેનિટાઇઝેશન એટલે સરફેસ-સપાટી પર રહેલા બેકટેરીયા ,વાયરસ, ફંગી જેવા જીવાણુંઓનો નાશ કરવો. સેનીટાઇઝેશન ૩ રીતે કરવામાં આવે છે.
1. થર્મલ સેનીટાઇઝેશન – જેમાં ગરમી (હીટ) વડે જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.
2. રેડીએશન સેનીટાઇઝેશન- જેમાં અલ્ટ્રાવાયોલેટ(પારજાંબલી) વિકિરણો દ્વારા જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે.

3. કેમીકલ સેનીટાઇઝેશન- જેમાં જીવાણુનાશક ૧% સોડીયમ હાઇપોકલોરાઇડ સોલ્યુવશન કેમીનો છંટકાવ કરી જીવાણુંઓનો નાશ કરવામાં આવે છે. માસ સેનીટાઇઝેશનની કામગીરી માટે કેમીકલ સેનીટાઇઝેશન અત્યંત પ્રભાવક છે.

આ પણ વાંચો…

સેવા કાર્યઃ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ફ્રી શબ વાહિની(Free sub vahini) સેવા શરુ, નિધન પામેલા કોરોના દર્દીને વિનામૂલ્યે સ્મશાન સુધી લઇ જવાશે…!