वेसाक उत्सव पर प्रधानमंत्री का वीडियो संदेश

07 MAY 2020 by PIB Delhi नमस्कार !!! आप सभी को और विश्वभर में फैले भगवान बुद्ध के अनुयायियों को बुद्ध पूर्णिमा की, वेसाक उत्सव की बहुत-बहुत शुभकामनाएं !!! ये … Read More

પ્રધાનમંત્રીએ NAM સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા અંગે ચર્ચા માટે યોજાયેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો. NAM સંપર્ક સમૂહની ઑનલાઇન શિખર બેઠક “કોવિડ-19 સામે એકજૂથ” થીમ પર હતી, જેનું યજમાન પદ NAMના વર્તમાન અધ્યક્ષ અઝેરબેજાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ઇલ્હામ અલિયેવે સંભાળ્યું હતું. આ બેઠકનો મૂળ હેતુ કોવિડ-19 મહામારી સામે આંતરરાષ્ટ્રીય એકતાનો પ્રચાર કરવાનો અને આ મહામારીનો સામનો કરવા માટે દરેક દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રયાસોમાં ગતિવિધી લાવવાનો હતો. આ કાર્યક્રમમાં શાંતિ માટે બહુપક્ષીયતા અને રાજનીતિ આંતરરાષ્ટ્રીય દિવસની શાબ્દિક ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીની સહભાગીતાએ એક આદ્યસ્થાપક સભ્ય તરીકે NAMના સિદ્ધાંતો અને મૂલ્યો પ્રત્યે ભારતની લાંબાગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ ચર્ચા દરમિયાન, પ્રધાનમંત્રીએ આ ચળવળમાં એકજૂથતા જાળવવા માટે શક્ય હોય એટલો સહકાર આપવામાં ભારતની સજ્જતાની પુષ્ટિ કરતી વખતે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે લીધેલા પગલાંનો ઉલ્લેખ કરીને આ કટોકટીના સમયમાં સંકલિત, સહિયારા અને એકસમાન પ્રતિક્રિયા આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ત્રાસવાદ અને ખોટા સમાચાર જેવી બાબતોમાં અન્ય વાયરસ સામે દુનિયાના એકધારા પ્રયાસો પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદી આ બેઠકમાં અન્ય 30થી વધુ દેશોના અને સરકારોના વડા તેમજ અન્ય નેતાઓ સાથે જોડાયા હતા જેમાં એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન તેમજ યુરોપના દેશો પણ સામેલ છે. આ શિખર બેઠકને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસભાના અધ્યક્ષ પ્રો. તિજ્જાની મુહમ્મદ બાંદે, સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ શ્રી એન્ટોનિઓ ગુટેરસ, આફ્રિકન સંઘના ચેરપર્સન મુસા ફાકી મહામત, યુરોપીયન સંઘના ઉચ્ચ પ્રતિનિધી જોસેપ બોર્રેલ તેમજ વિશ્વ આરોગ્ય સંગઠનના મહા નિદેશક ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસુસે પણ સંબોધન કર્યું હતું. એકંદરે, NAMના નેતાઓએ કોવિડ-19ના પ્રભાવોનું આકલન કર્યું હતું, સંભવિત ઉપચારો માટેની જરૂરિયાતો અને માંગ ઓળખી હતી અને કાર્યલક્ષી ફોલોઅપ માટે વિનંતી કરી હતી. આ બેઠક પછી, નેતાઓએ એક વાત સ્વીકારી હતી જેમાં કોવિડ-19 સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય એકજૂથતાનું મહત્વ ટાંકવામાં આવ્યું હતું. નેતાઓએ કોવિડ-19 સામેની લડાઇમાં સભ્ય દેશોની મૂળભૂત તબીબી, સામાજિક અને માનવીય જરૂરિયાતો પ્રતિબિંબિત કરતો સામાન્ય ડેટાબેઝ તૈયાર કરીને સભ્ય દેશોની માંગ અને જરૂરિયાતો ઓળખવા માટે એક ‘ટાસ્ક ફોર્સ’નું ગઠન કરવાની પણ જાહેરાત કરી હતી.

प्रति दिन 10 लाख व्यक्ति किफायती मूल्यों पर गुणवत्तापूर्ण दवाएं खरीदने पीएम जन औषधि केंद्र जा रहे हैं

पीएम जन औषधि केंद्र (पीएमजेएके) कोविड-19 स्थिति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं: मनसुख मंडाविया 04 MAY 2020 by PIB Delhi जहाजरानी तथा रसायन एवं उर्वरक राज्य मंत्री (स्वतंत्र प्रभार) … Read More

પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરવા બેઠક યોજી

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો. ખેતીની નવી રીતો તૈયાર કરવા માટે દેશમાં એકસમાન કાનૂની માળખું તૈયાર કરવાની સંભાવનાઓ ચકાસવા અંગે પણ ચર્ચા થઇ હતી કારણ કે, આમ કરવાથી કૃષિલક્ષી અર્થતંત્રમાં મૂડી અને ટેકનોલોજી બંનેની આવક વધશે. પાકમાં બાયો-ટેકનોલોજીકલ વિકાસના નફા અને નુકસાન થવા ઉત્પાદકતામાં વધારો અને ઇનપુટ ખર્ચમાં ઘટાડો કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. જમીન ભાડાપટ્ટા અધિનિયમના મોડેલ સંબંધિત પડકારો અને નાના તેમજ સીમાંત ખેડૂતોના હિતોને કેવી રીતે સુરક્ષિત રાખવા તે અંગે પણ આ બેઠકમાં વિગતે ચર્ચા થઇ હતી. વર્તમાન સમય સાથે સુસંગત આવશ્યક કોમોડિટી અધિનિયમ બનાવવો એ કેવી રીતે હાલના સમયમાં સુસંગતત છે તેની પણ ચર્ચા થઇ હતી, જેથી પોસ્ટ-પ્રોડક્શન કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણને પ્રોત્સાહન આપી શકાય અને કોમોડિટી ડેરિવેટીવ બજારો પર પણ સકારાત્મક અસર પડે. કૃષિ કોમોડિટી નિકાસને વેગ આપવા માટે બ્રાન્ડ ઇન્ડિયાનું નિર્માણ, વિશેષ કોમોડિટીને અનુલક્ષીને બોર્ડ/ કાઉન્સિલનું ગઠન અને કૃષિ ક્લસ્ટરો/ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવા અન્ય કેટલાક હસ્તક્ષેપો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઇ હતી. કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ સર્વોપરી મહત્વપૂર્ણ છે કારણ કે, તેમાં આપણા ખેડૂતો માટે સંપૂર્ણ મૂલ્ય સાંકળ અનલૉક કરવાની સંભાવનાઓ છુપાયેલી છે. પ્રધાનમંત્રીએ છેવાડાની વ્યક્તિ સુધી ટેકનોલોજીનો પ્રસાર વધારવા પર અને આપણા ખેડૂતોને વૈશ્વિક મૂલ્ય સાંકળમાં વધુ સ્પર્ધાત્મક બનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. કૃષિ અર્થતંત્રને ધબકતુ કરવા માટે, કૃષિ વ્યાપારમાં વધુ પારદર્શકતા લાવવા અને ખેડૂતો સુધી મહત્તમ લાભ પહોંચે તે માટે FPOની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એકંદરે, ખેડૂતોને સારા બજાર ભાવો મળી રહે અને તેમને પસંદગીની તકો મળે તે માટે બજારનું નિયમન કરવા માટેના પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરીને તેમાં જરૂરી ફેરફાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.