કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે

કોરોનાનો ગભરાટ શરીરમાં પિત્ત – વાયુ વધારે છે,જેના કારણે લોકો વધુ ગભરામણ અનુભવે છેરાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડો. એન. જે. મેઘાણીનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૦ઓક્ટોબર:સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે લોકો ભય પામી રહયાં છે, તેવા સમયમાં રાજકોટના પ્રતિષ્ઠીત હોમીયોપેથી ડોકટર એન. જે. મેઘાણી રાજકોટવાસીઓને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, અત્યારે આપણે કોરોનાના ભયથી ફફડી રહયાં છીએ પરંતુ આપણે ૧ ટકો પણ ગભરાવાની જરૂર નથી. જેમ આપણને ભૂતકાળમાં શરદી – તાવ આવતા અને તેની સારવાર બાદ આપણે સ્વસ્થ થઈ જતાં તેવી જ રીતે કોરોના સંક્રમિત થયા બાદ આપણે ઘરમાં જ રહીને, જરૂરી સારવાર કરવાથી કોરોનાથી મૂકત થઈ શકીએ છીએ.  કોરોનાથી તમે જેટલા બીવો છો, ગભરાવ છો, તેના કારણે તમારા શરીરમાં પિત્ત  અને વાયુનું પ્રમાણ વધે છે. અને વાયુના કારણે તમને વધુ ગભરામણ થાય છે. એટલે આ સમયમાં કોઈપણ પ્રકારનો ગભરાટ ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. હાલના સમયમાં આપણને સાંભળવા મળતી બીન જરૂરી વાતો, અફવાઓથી ડરો નહી, પરંતુ જે લોકો પાસે સાચું જ્ઞાન છે, તેમની સાથે તમારા વિચારો શેર કરો. જેથી તમને સાચી માહિતી મળશે અને તમારો ડર દૂર થશે. જો ૮૦ વર્ષના વૃધ્ધજન પણ કોરોના મૂક્ત બની શકતા હોય તો બીજા લોકોને તો ક્યાં મુશ્કેલી પડવાની છે. આપણે ભયમાંથી મૂકત બની અન્યોને ભયમૂકત રહેવાની પ્રેરણા આપવી પડશે. કોરોનાના આ સમયમાં જે વ્યક્તિને અન્ય રોગ – બિમારી હોય તેવા લોકોને જ થોડી તકલીફ પડતી હોય છે. અને એટલે જ આ બાબતની ચિંતામાંથી મૂક્ત બનીએ. આપણે અત્યાર સુધીમાં અનેક વાયરસ, રોગ – બિમારી સામે લડીને તેને હરાવી છે. તેવી જ રીતે કોરોનાને પણ આપણે ચોક્કસ હરાવીશું જ. આ માટે આપણે જરૂરી જણાય તો તબીબી ચકાસણી કરાવીએ. ઘરમાં જ જરૂરી કસરત કરીએ અને આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારીએ. સૌએ શારીરિક શ્રમ ઉપર વધુ ભાર આપવાની જરૂર છે. આ માટે દરરોજ ૧૦ મિનિટથી લઈને અડધી કલાક સુધી ઘરમાં જ રહીને યોગા – કસરત કરીને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારીએ તો બહું ઝડપથી ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’

ડિજિટલ સેવા સેતુના દિશાદર્શક નિર્ણયને હર્ષભેર વધાવતા પડધરી તાલુકાના ગ્રામજનો

“આવકના દાખલાની રજુઆત કર્યાની ૧૫ મિનિટે આવકનો દાખલો હાથમાં”: લાભાર્થી મહેશભાઈ રાઠોડ  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: છેવાડા માનવીની સુખ-સુવિધાની દરકાર લેતી નિર્ણાયકશીલ રાજ્ય સરકારે રાજ્યવ્યાપી ડિજિટલ સેવા સેતુનો … Read More

યોગ ભગાવે રોગ : યોગાસનો થકી ૪ દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાની મહામારીમાં ઈમ્યુનિટી વધારવા યોગ અસરકારક માધ્યમ છે”: સુરેશભાઈ વિશ્વકર્મા રાજકોટના રમતવીરે યોગ થકી કોરોનાને હંફાવ્યો  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: “કોરોનાની મહામારીને નાથવા માટે અને ઇમ્યુનિટી વધારવા માટે યોગ … Read More

આપણે કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ: વી.પી.વૈષ્ણવ

કોરોનાના કાળમાં સરકારે જરૂરીયાત કરતાં ૧૦ ગણી સુવિધા પૂરી પાડી છે, ત્યારે આપણે પણ કોરોનાના ડરને મનમાંથી દૂર કરીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવનો પ્રેરક અનુરોધ અહેવાલ: … Read More

ગરૈયા કોલેજ અને શિવાનંદ હોસ્પિટલ કોવીડ કેર સેન્ટરમાંથી ૩૮૬ લોકો સંપૂર્ણ સ્વસ્થ

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા હળવા લક્ષણો ધરાવતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર અને દેખરેખ રાખવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં  કાળીપાટ ખાતે આવેલા … Read More

કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના … Read More

ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી તા.૧ ઓકટોબરથી શરૂ થયેલી નોંધણીની કામગીરીમાં ખેડૂતોનો પ્રતિસાદ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજય સરકાર દ્વારા … Read More

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે: પરેશભાઈ વાસાણી

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે, અને વર્ષ ૨૦૨૧ ના નૂતન પ્રભાતથી જ આપણે પૂર્વવત જીવન જીવી શકીશું રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ … Read More

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છે

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છેઅને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી  સાંજ સમાચાર દૈનિકના એક્ઝીક્યુટીવ એડીટર કરણ શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૨ ઓક્ટોબર: રાજકોટના … Read More

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ  જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ વડાપ્રધાનશ્રીની … Read More