PM Modi 1st cabinet 2024

PMAY: 3 કરોડ મકાનો પીએમ-આવાસ યોજનામાં બનાવવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

PMAY: વડાપ્રધાનની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની નવનિયુક્ત પ્રથમ કેબિનેટ બેઠકમાં

  • PMAY: દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ-આવાસ યોજનામાં બનાવવાના નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
google news png

ગાંધીનગર, 11 જૂન: PMAY: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ-આવાસ યોજનામાં બનાવવા માટે સહાય આપવાના ગરીબ હિતલક્ષી નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યાં છે.

વડાપ્રધાનએ સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સંભાળ્યા બાદ આ પ્રથમ ગરીબ હિતલક્ષી નિર્ણય કરીને મોદી 3.0 કાર્યકાળમાં ગરીબ, વંચિત, શોષિત અને આવાસ વિહોણા જરૂરતમંદ પરિવારોને પાકા મકાનો આપવાની પ્રતિબદ્ધતાની દિશામાં આ પ્રથમ કદમ ભર્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

આ પણ વાંચો:- World Junior Chess Championship: ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આયોજિત વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-2024

મુખ્યમંત્રીએ દેશના ગરીબ પરિવારોને પાકું આવાસ છત્ર પૂરું પાડવા માટે વડાપ્રધાનશ્રીએ 2015-16ના વર્ષથી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી તેની પણ પ્રસંશા કરી છે.

ભારત સરકારે આ યોજના અંતર્ગત પાછલા 10 વર્ષમાં 4.21 કરોડ મકાનોનું નિર્માણ જરૂરતમંદ ગરીબ પરિવારો માટે કર્યું છે. એટલું જ નહિ, આ આવાસોમાં શૌચાલય, ગેસ કનેક્શન, વીજ કનેક્શન અને નળ કનેક્શન જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો