Ram Mandir Pran Pratishtha: અમદાવાદનું નગારું પહોંચ્યું અયોધ્યા, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં લગાવશે ચાર ચાંદ
Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે
અમદાવાદ, 12 જાન્યુુઆરીઃ Ram Mandir Pran Pratishtha: ટૂંક સમયમાં જ રામલલાના મંદિરમાં અમદાવાદમાં બનેલા નગારાનો અવાજ ગુંજશે. ગત 5 જાન્યુઆરીએ ગુજરાતમાંથી શરૂ થયેલું નગારું અયોધ્યામાં શ્રીરામ ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે. હવે પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર ગણતરીના દિવસ બાકી છે.
રામલલાના મંદિરને શણગારવા અમદાવાદથી 500 કિલોનું નગારું અયોધ્યા પહોંચ્યું છે. આ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી મોકલવામાં આવી છે. આ સાથે મંદિરમાં લગાવવામાં આવનાર પિત્તળના ધ્વજ થાંભલાઓ અયોધ્યા મોકલવામાં આવ્યા છે.