WHO CHIEF

WHO Chief Warning: આવી રહી છે કોરોના કરતાં પણ ખતરનાક મહામારી! જાણો શું કહ્યું WHO ચીફે…

WHO Chief Warning: WHO ચીફે કહ્યું કે આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે

નવી દિલ્હી, 24 મેઃ WHO Chief Warning: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડા ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું કે વિશ્વએ એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ ઘાતક હશે. એક રિપોર્ટ અનુસાર, WHO ચીફે કહ્યું કે આવનારા વાયરસથી ઓછામાં ઓછા 2 કરોડ લોકો માર્યા જશે. તાજેતરમાં, ગ્લોબલ હેલ્થ બોડીએ જાહેરાત કરી હતી કે કોવિડ-19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.

WHOના વડાએ જિનીવામાં તેમની વાર્ષિક હેલ્થ કોન્ફરન્સમાં કહ્યું કે આવનારી મહામારીને રોકવાનો સમય આવી ગયો છે. આ માટે વાતચીતને આગળ વધારવાનો સમય છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સ ની બેઠકમાં WHOના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી.

WHOએ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી

Advertisement

ડો. ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું કે કોવિડ પછી અન્ય પ્રકારની બીમારીનો ખતરો હોઈ શકે છે, જે મૃત્યુનું કારણ બની શકે છે. તે કોવિડ કરતા વધુ ઘાતક સાબિત થઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે વિશ્વએ આ માટે તૈયાર રહેવું જોઈએ.

WHO એ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે, જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે. ડેઇલી મેલે અહેવાલ આપ્યો છે કે તેમની સારવારની અછત અથવા રોગચાળો ફેલાવવાની તેમની સંભાવનાને કારણે તેઓ સૌથી જોખમી માનવામાં આવે છે. તેમણે કહ્યું કે વિશ્વ કોવિડ -19 રોગચાળાના આગમન માટે તૈયાર નથી, જે એક સદીમાં સૌથી ગંભીર આરોગ્ય સંકટ તરીકે ઉભરી આવ્યું છે.

આવનારી મહામારી માટે તૈયાર- WHO ચીફ

Advertisement

WHOના વડાએ બેઠકમાં કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં કોવિડ-19એ આપણી દુનિયા બદલી નાખી છે. આમાં લગભગ 70 લાખ લોકોના મોત થયા હતા, પરંતુ આપણે જાણીએ છીએ કે આંકડો આનાથી વધુ હોઈ શકે છે.

તેમણે કહ્યું કે જે ફેરફારો કરવા જોઈએ તે આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને, જો હવે ન બને તો ક્યારે. આવનારી મહામારી દસ્તક આપી રહી છે અને આવશે પણ. આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ.

આ પણ વાંચો… Adani stocks rise: વસંત ઋતુ પાછી આવી! અદાણીના આ શેરોમાં ધમાલ શરૂ

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો