The first organ donation from a tribal community: આદિવાસી સમાજમાંથી સૌપ્રથમ અંગોનું દાન થયું…
The first organ donation from a tribal community: એક આદિજાતિ યુવાન અકસ્માતે બ્રેનડેડ થતા ગરીબ પરિવારે અંગોનું દાન કરી બીજા ચાર ને નવજીવન આપ્યું………..
સુરત થી અમદાવાદનું 277 કિ. મી નું અંતર હવાઈ માર્ગે માત્ર 80 મીનીટમાં હૃદય ને પહોચાડ્યું…
- અમદાવાદની CIMS હોસ્પીટલમાં બીજા યુવાન ને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું …….
- બ્રેનડેડ નવનીત બાબુભાઈ ચૌધરીના પરિવારે કિડની, લિવર, હૃદયનું દાન કર્યું…….
- શિક્ષિત અને વિકસિત સમાજને નવી દિશા બતાવી…
- ધારાસભ્ય અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી , ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ ડોનેટ લાઈફ સંસ્થા ની મદદે આવ્યા ……અને બધું પાર પડયું….
અહેવાલ: નિખીલેશ ઉપાધ્યાય
સુરત, ૨૮ ઓક્ટોબર: The first organ donation from a tribal community: આ વાત જાણે એમ છે કે….સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા ના “લવેટ” ગામ ના રહેવાસી અને આદિજાતિ પરિવાર નોએક નો એક 30 વર્ષીય યુવાન નવનીત બાબુભાઈ ચૌધરી સુરત માં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને ગામમાં થોડી ઘણી ખેતી ની જમીન હતી આમ આખા એ પરિવાર નું ગુજરાન ચાલી રહ્યું હતું.
પણ બન્યું એવું કે ગત 29 મે 2017 ના રોજ નવનીતભાઈ સાંજના સમયે દરમિયાન વાંકલ થી લવેટ પોતાના ઘરે પરત ફરી રહયા હતા, ત્યારે વાંકલ રેલ્વે ફાટકની પાસે બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. આજુબાજુનાં લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ઝંખવાવ રેફરલ હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યાંના તબીબો એ હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલીક સુરત લઇ જવાની સલાહ આપી. તેથી તેમને પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ડૉ. જે. આર. ઠેસીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં.

નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું અને ક્રેનીયોટોમી કરીને લોહીનો ગઠ્ઠો કાઢવાનું કહેતા પરિવારજનોએ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્માની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરી હતી. થોડા દિવસ બાદ નવી સિવિલ હોસ્પીટલના તબીબો એ નવનીતભાઈને બ્રેનડેડ જાહેર કર્યા અને તેની જાણકારી પરિવાર અને ડોનેટ લાઈફ સંસ્થાને આપી હતી.
The first organ donation from a tribal community: ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી નવનીતભાઈના પિતા બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજ જેઠાભાઈ વસાવાને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા સમજાવી હતી. નવનીત ભાઈના પિતા બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ, ગામ ના સરપંચ મનોજભાઈએ જણાવ્યું કે અમારા સમાજમાં અંગદાન માટે હજુ જાગૃતિ નથી.

અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાન વિશેના સમાચારો વાંચતા હતા. આજે જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે ત્યારે તેઓના અંગોનું દાન કરીને કોઈકના લાડકવાયાને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. તેઓએ સમાજના દરેક વર્ગના લોકોને જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે અંગદાન કરવા અપીલ પણ કરી હતી.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટરનો સંપર્ક કરી કિડની અને લિવર, CIMS હોસ્પીટલના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટરનો સંપર્ક કરી હૃદયનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અમદાવાદના રહેવાસી તિલક શાહ ઉ. વ. 14 અને બીજી કિડની સુરતના રહેવાસી પુનીત જાલાન ઉ.વ. 31 માં, જયારે લિવર મોરબીના રહેવાસી વાલાભાઈ દેવાભાઈ રાઠોડ ઉ.વ. 48 માં ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે કરવામાં આવ્યું હતું.
સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદની CIMS હોસ્પિટલ સુધીનું 277 કિ. મી નું અંતર હવાઈ માર્ગે 80 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી કલ્પેશ જયસુખભાઈ કાત્રોડિઆ ઉ. વ. 23માં સીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ Race Against Time કહેવાય છે. હ્રદયને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે નવી સિવિલ હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ તથા અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નર અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો સહકાર સાંપડ્યો હતો.

ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા માટે ધારાસભ્ય અને હાલના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી તેમજ સુરત એરપોર્ટ પર નાઈટ ટેકઓફની સુવિધા ન હોવા છતાં રાત્રે 2:30 કલાકે ટેકઓફની પરવાનગી અપાવવા માટે સાંસદ અને ભા. જ.પા પ્રમુખ સી. આર. પાટીલનો ભરપૂર સહકાર સાંપડ્યો હતો. આદિજાતિ સમાજના યુવાન નવનીત બાબુભાઈ ચૌધરીના અંગદાન થી ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઘટના બની હતી અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પણ અંગદાનની શરૂઆત થઇ હતી.
સુરત શહેરની સિવિલ હોસ્પીટલમાંથી ઓર્ગન ડોનેશન મળે તે માટે સુરત શહેર પોલીસ કમિશ્નર સતીશ શર્મા પણ પ્રયત્નશીલ હતા અને તે માટે તેઓએ સિવિલ હોસ્પીટલના મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સ્મીમેર હોસ્પીટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટને એક પરિપત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી મે 2017 સુધીમાં જે ઓર્ગન ડોનેશન થયા છે તે સુરતની જુદી જુદી પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પીટલમાંથી થયા છે. સૌ પ્રથમ વખત જુન 2017 માં સુરતની નવી સિવિલ સરકારી હોસ્પીટલમાંથી અંગદાન મળ્યું હતું.
અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં નવનીતભાઈના પિતા બાબુભાઈ, પત્ની દક્ષાબેન, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજભાઈ વસાવા, ન્યુરોસર્જન ડો. મેહુલ મોદી, ન્યુરોફીઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરા, મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. મહેશ વાડેલ, સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્મા, રેસીડન્ટ ડૉ. નિલેશ કાછડીયા, ડૉ. નેહલ શાહ, ડૉ. નરેન મકવાણા, ડૉ. નિપુન બંસલ, નવી સિવિલ હોસ્પીટલનો સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, CEO નીરવ માંડલેવાલા, નિમિત પટેલ, દેવેશ ભરૂચા, ડેનીશ સતાસિયા, મહેન્દ્રસિંહ દરબાર, અસ્ફાક ઈબ્રાહીમ શેખ, મયુર પામક, ભાવિન કોલડીયા, સુભાષ જોધાણી, ધવલ પ્રજાપતિ અને જીતેન્દ્ર મોરેનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી બીજી જુન 2017 સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ ની ટીમ દ્વારા 196 કિડની, 74 લીવર, 05 પેન્ક્રીઆસ, 11 હૃદય અને 174 ચક્ષુઓનો દાન મેળવીને 458 વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી હતી.
બીજી જુન 2017ના રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલ માંથી ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી આદિજાતિ સમાજના બ્રેનડેડ નવનીત બાબુભાઈ ચૌધરીનું હ્રદય મેળવનાર કલ્પેશ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે મારા હૃદયના ટ્રાન્સપ્લાન્ટ પહેલા મારી તબિયત ખુબ ખરાબ હતી મારા હૃદયની ક્ષમતા 10 થી 15 ટકા જેટલી હતી. મને સામાન્ય જીવન જીવવા માટે ખુબજ તકલીફ પડતી હતી. હું પાંચ ડગલા પણ ચાલી શકતો ના હતો, શ્વાસ લેવામાં તેમજ ખાવા પીવામાં પણ તકલીફ પડતી હતી. હૃદય ટ્રાન્સપ્લાન્ટના ચાર વર્ષ પછી હું એકદમ સ્વસ્થ છુ, દરરોજ સવારે દોઢ કલાક એકસરસાઈઝ કરું છુ, ચાલવા જાઉ છુ, આજે મને કોઈ પણ પ્રકારની તકલીફ નથી હું એકદમ ફીટ છું.
મારો સાચો જન્મદિવસ ૩૦ મે છે પરંતુ મારું હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ૨જુનના રોજ થયું હતું અને મેં મારો જન્મદિવસ પણ બદલી નાખ્યો છે અને હવે હું મારો જન્મદિવસ ૨ જુને માનવું છું. હું દર વર્ષે ૨ જુનના રોજ ડોનેટ લાઈફ સંસ્થાની ઓફિસે આવું છુ અને નીલેશભાઈના આશીર્વાદ પ્રાપ્ત કરું છુ તેમજ મને હૃદય આપી નવું જીવન આપનાર નવનીતભાઈ ચૌધરીના પરિવારને ફોન કરી ને પણ આશીર્વાદ પ્રાપ્ત કરું છું.
સમાજને અપીલ કરતા કલ્પેશ કાત્રોડિયા કહે છે કે જયારે કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેમના અંગોનું દાન કરાવી મારા જેવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ સૌ આગળ આવો.