Riverfront Foot Overbridge Photos: અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજ બન્યુ આકર્ષણનું કેન્દ્ર- જુઓ ફોટો
Riverfront Foot Overbridge Photos: આ ફુટ ઓવરબ્રિજથી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમના કેન્દ્રો જોડાઇ જશે
અમદાવાદ, 27 ઓગષ્ટઃ Riverfront Foot Overbridge Photos: સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતો આ 300 મીટર લાંબા પુલનું ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.
વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી-કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો કાંતશે.આ સમયે અમદાવાદ રિવરફ્રન્ટ પર બનાવાયેલા અટલ બ્રિજનું તેઓ લોકાર્પણ કરશે.
2100 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ… બ્રિજની લંબાઈ 300 મીટર… પહોળાઈ 10થી 14 મીટર… RCC ફ્લોરિંગ, પ્લાન્ટર, સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ…
74.29 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્વિમ વિસ્તારને જોડશે. રંગીન કપડાથી પુલની છત સજાવાઈ છે. તેની રેલિંગ કાચ અને સ્ટેઈનલેસ સ્ટીલમાંથી તૈયાર કરાઈ છે.
આ અટલ બ્રિજ અમદાવાદ તથા બહારના પ્રવાસીઓ માટે મોટું ટૂરિસ્ટ સ્પોટ બનશે. 21 માર્ચ 2018માં પુલને બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેશને 25 ડિસેમ્બર 2021 માં અટલ પુલ નામ આપ્યું હતું.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શનિવારે યોજાનારા ખાદી ઉત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારડોલીના સત્યાગ્રહમાં ઉપયોગમાં લેવાયેલો 94 વર્ષ જૂનો ચરખો કાંતશે.
આ પણ વાંચોઃ Rain forecast Update: રાજ્યના અનેક ભાગોમાં આજથી હવામાનમા પલટો, વાંચો શું છે આગાહી
આ પણ વાંચોઃ Non-interlocking function: ઉત્તર રેલવેના માણક નગર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ, જાણો રદ તથા ડાઇવર્ડ થઇલી ટ્રેન