“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી

“દર્દીની સેવા એજ પ્રભુ સેવા”ના મંત્ર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જામ-ખંભાળીયા અને કલોલના નર્સ બહેનની હદયસ્પર્શી કામગીરી  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૨ નવેમ્બર: “હું જામ-ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ … Read More

ડોકટરો, નર્સો સહિતના આરોગ્ય કર્મીઓ કોવીડ-૧૯ના સંક્રમણથી દેશને મુકત કરવા જીવના જોખમે કાર્યરત

કોવીડ-૧૯ના સંક્રમણથી દેશને મુકત કરવાના ઝનુન સાથે જીવના જોખમે કાર્યરત રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના ડોકટરો, નર્સો સહિતના આરોગ્ય કર્મીઓ “૭ દિવસ આઇસોલેશનમાં રહી કોરોના સંક્રમણરૂપી ઝેરના પારખા કરવા છતાં લોકોને કોરોના મૂકત … Read More

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ જવાબદારી નિભાવતા મનીષાબેન

પથરીના દર્દને ભુલાવી ગાયનેક, બાળરોગ તેમજ કોરોનાની મલ્ટીપલ  જવાબદારી  નિભાવતા ઇન્ચાર્જ નર્સ મનીષાબેન પંડયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:આશરે ૧૫ વર્ષથી સિવિલમાં નર્સિંગ સ્ટાફમાં કાર્યરત મનીષાબેન પંડયા પથરીના દર્દને ભુલાવી કોરોના વોર્ડ તેમજ ગાયનેક અને બાળરોગ વિભાગમાં મલ્ટીપલ કામગીરી કરી સાચા અર્થમાં સિસ્ટરની ભૂમિકા ચરિતાર્થ કરી રહ્યા છે. કોરોના ડયુટી દરમ્યાન તેમના પુત્ર કોરોના સંક્રમિત થયો હતો. તેની સારસંભાળ રાખવાની જવાબદારી પણ પૂર્ણ કરતા, આ જ સમય દરમ્યાન તેમના નણંદના દીકરાનું મૃત્યુ થયું તો પણ જરાપણ વિચલિત થયા વગર તેમની ફરજને અગ્રીમ ગણી કોરોનાની જવાબદારી સંભાળી હતી. કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર ઉપરાંત એડમીન તરીકે તેઓને સ્ટાફનું મેનેજમેન્ટ કરવાનું, દર્દીઓને ટ્રાન્સફર કરવા તેમજ મૃતકોનું નિયમન સહીત વિવિધ કામગીરી કરી. રોટેશન મુજબ તેઓ બાળકોના વિભાગમાં તેમજ ગાયનેક વિભાગમાં અવિરત સેવા પુરી પાડી રહ્યા છે. નારી શક્તિ અને પ્રબળ ઈચ્છા શક્તિના સંગમ થકી સિવિલમાં નર્સ બહેનોને તેઓ પ્રેરણા પુરી પડી રહ્યા છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા આપતી ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી … Read More

માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન…

સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ સિવિલમાં બાળકોના વિભાગમાં હૃદય,ફેફસા,કિડની તેમજ મગજના જોખમી  રોગોની ક્લિનિકલ સારવાર અને રસીકરણ ઉપલબ્ધ માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના સ્વાસ્થ્યનું કરે છે જતન… અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૦૧નવેમ્બર:રંગબેરંગી કપડાંઓમાં સજ્જ નાના નાના ભૂલકાઓ ‘માં’ ની ગોદમાં રમતા રમતા તંદુરસ્તીના ડોઝ લેતા સુંદર દ્રશ્યો સિવિલના બાળ રોગ વિભાગમાં રોજ બરોજ જોવા મળે છે. માં યશોદા રૂપી આરોગ્યકર્મીઓ બાળકોના જતનની સાથે તેમના સ્વાસ્થ્યનું જે રીતે ધ્યાન  રાખી રહયાં છે તે જોઈને બાળકની માતાઓના ચહેરા પર પણ સ્મિત ખીલી ઉઠે છે.    કોરોના મહામારીના સમયમાં રાજકોટ સિવિલનો પીડિયાટ્રિક વિભાગ સપ્તાહ દરમ્યાન સ્પેશિયાલિટી ક્લિનિક સાપ્તાહિક કાર્યક્રમ હેઠળ ગેસ્ટ્રોલોજી, અસ્થમા, કાર્ડિયોલોજી, વેલ બેબી, ન્યુરોલોજી, નેફ્રોલોજી, હાઈ રિસ્ક ક્લિનિકલ સારવાર અને રસીકરણ કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત બાળની  વિભાવના સાથે કાર્ય કરી રહયો છે.આ કાર્યક્રમ હેઠળ જુદા જુદા રોગ માટે સાપ્તાહિક કાર્યક્રમ સતત ચાલુ હોવાનું સિનિયર રેસિડન્ટ ડો. રચના દુર્ગાઈ જણાવે છે. કોરોનાની સાથોસાથ બાળવિભાગમાં ૧૨ વર્ષની ઉમર સુધીના રોજના ૭૦ થી વધુ બાળકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે. વેલ બેબી કાર્યક્રમ હેઠળ દર બુધવારે બાળકોને રસીકરણ, બાળકનો ગ્રોથ અને જાગૃતતા કાર્યક્રમ ડો. રચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહયો છે. માનસિક  રીતે નબળા બાળકો માટે ખાસ ડીઆઈસી સેન્ટર કાર્યરત છે જ્યાં ખાસ થેરાપી દ્વારા બાળકોને સમજણ પુરી પાડવામાં આવે છે તેમજ બાળકોને જરૂરી કસરત પણ કરાવવામાં આવે છે.  બાળરોગ વિભાગમાં વેક્સીનેસનની મુખ્ય કામગીરી કરતા નર્સ ભાવનાબેન રામાવત જણાવે છે કે, કોરોના જયારે ટોચ પર હતો ત્યારે બાળકોને વેક્સીન માટે તેમના માતાપિતા લાવતા નહોતા, પરંતુ તેમને સમયસર ટીકા લાગી જાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી સાવચેતી રાખીએ તો તેમના બાળકોને કઈ જ નહિ થાય તેમ અમે સમજાવટ કરી તેઓને હોસ્પિટલ બોલાવતા હતા. હાલ રોજના ૧૦ થી ૧૫ બાળકોને નિયમિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ભાવનાબેન જણાવે છે.  સિવિલ ખાતે તેમની બીજી દીકરીને પણ રસીકરણ કરાવવા આવતા કાદરી અખ્તર જણાવે છે કે, તેઓ તેમની બન્ને દીકરીઓની જન્મથી અહી દવા તેમજ સારવાર કરાવે છે. અમે ખાનગી હોસ્પીટલમાં ખર્ચ ઉપાડી શકીએ તેમ નથી ત્યારે સિવિલ ખાતે અમને શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. અન્ય એક વાલી ધર્મેશભાઈ પણ તેમના ત્રણ વર્ષના સંતાનને નિયમિત રસી મુકવા અહી આવે છે. સ્ટાફનું પ્રેમાળ વર્તન અને સમજણ પૂરી પાડતા સિવિલના તમામ સ્ટાફનો તેઓ આભાર માને છે.       બાળકોના સર્વાંગી વિકાસ માટે કોઈ કસરરહી ન જાય તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવાઓ પુરી પાડી તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની વિભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહયો છે. મેડીકલ ઇક્વિપમેન્ટને વાઈરસ બેક્ટેરિયા મુક્ત રાખવા રાઉન્ડ ધ ક્લોક સેવા … Read More

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત

પ્રાઈવેટ પ્રેક્ટિસ છોડી સ્મીમેરમાં જોડાયેલા તબીબ કોરોનાને હરાવી પુન: સેવારત કોરોના સંકટમાં દર્દીઓની સેવાનો મોકો મળ્યો છે, જેને પ્રામાણિકતાથી નિભાવીશ: ડો. રવિ પરમાર અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૧ નવેમ્બર: … Read More

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૩૧ ઓક્ટોબર: કોરોનાના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભુમિકા … Read More

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો સાડી અર્પણ કરી સેવાને બિરદાવી

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો અને મહિલા સિક્યોરિટી ગાર્ડ્સને સાડી અર્પણ કરી સેવાને બિરદાવી સુરત, ૩૦ ઓક્ટોબર: યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળની … Read More

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ મારા એક … Read More

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું … Read More

અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ

“અમૃતા પ્રોજેક્ટ” હેઠળ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : … Read More