રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારાપોષણ માહ-૨૦૨૦ની અનોખી ઉજવણી

કિશોરીએ “પોષણ તોરણ” નું વિતરણ કરીનસગર્ભા માતા અને ધાત્રી માતાઓને આપ્યા સ્વાસ્થ્યવર્ધક સંદેશા આંગણવાડી કેન્દ્રો દ્વારા કિશોરીઓ અને સગર્ભા માતાઓનેપોષણયુક્ત આહાર અંગે માહિતી આપીને વાનગી સ્પર્ધાનું કરાયું આયોજન અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭સપ્ટેમ્બર:સહી પોષણદેશ રોશન”ના મંત્રને ચરિતાર્થ કરવા માટે ભારત સરકાર દ્વારા  દર વર્ષે સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રવ્યાપી “પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને સફળ બનાવવા અને તેમજ વર્તમાન અને ભાવિપેઢીને પોષણયુક્ત બનાવવા રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “પોષણ માહ ૨૦૨૦”ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ્યી છે. જે અન્વયે રાજકોટ જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. વિભાગ  પોષણ માહની અનોખી ઉજવણી કરી રહ્યું છે.  આ ઉપરાંત કિશોરીઓ દ્વારા જોખમી સગર્ભા માતા, છ માસથી નાના અને છ થી બે વર્ષ સુધીના અતિકુપોષિત બાળકો અને બેથી પાંચ વર્ષના  અતિકુપોષિત બાળકોને પોષણ તોરણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન જીવનના દરેક પાસાઓ સાથે ઘનિષ્ઠ રૂપથી સંકળાયેલી કડી છે. તેથી લાભાર્થીઓને  કિશોરી અને આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા પોષણયુક્ત આહાર અંગે સમજ આપવામાં આવી હતી. loading… વધુમાં કિશોરીઓ દ્વારા ટી.એચ.આર. પૂર્ણા શક્તિમાંથી પોષણયુક્ત વાનગીઓ બનાવવામાં  આવી હતી. તેમજ આંગણવાડી કેન્દ્રની બહેનો દ્વારા કિશોરીઓને પ્રોત્સાહન પુરૂં પાડવા  વાનગી સ્પર્ધાઓનું  આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ આઈ.સી.ડી.એસ. વિભાગ રાજકોટના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવેની યાદીમાં જણાવાયું છે.

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More

મેટોડા જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પાંચ દિવસ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ

ધન્વંતરી રથ દ્વારા ૪૨૯ લોકોના આરોગ્યની તપાસ એન્ટીજન ટેસ્ટ કરાતાં કુલ ૨૭ કોરોના પોઝીટીવ લોકોને હોમ આઇશોલેટેડ અને ફેસિલીટીમાં રીફર કરાયા  અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવ્ઝ અને ગન … Read More

રાજકોટના જાણીતા સંગીતકાર ડો. ઉત્પલ જીવરાજાનીનો પ્રેરક સંદેશ

કોરોના સામેની લડાઈ : સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતા સાથે જીતશે રાજકોટ – હારશે કોરોના  રાજકોટ,૧૭ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીના કપરા સમયમાં રાજકોટ વાસીઓને ભયભીત થયા વિના સ્વચ્છતા – સ્વસ્થતા અને સજાગતાના પ્રકૃતિના સંદેશને અપનાવી … Read More

રાજકોટ જિલ્લાના લોધિકામાં ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાયનું વિતરણ કરાયુ

ચેરમેનશ્રી ધનસુખભાઈ ભંડેરી અને ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠિયાની પ્રેરક ઉપસ્થિતિ અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧૭ સપ્ટેમ્બર: દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ. 

કામદાર રાજય વિમા યેાજના જનરલ હોસ્પિટલ ખાતે ઉભી કરવામાં આવી ડેઝીગ્નેટેડ કોવિડ – ૧૯ હોસ્પિટલ

સમર્પિત આરોગ્યકર્મીઓ સાથે બે વેન્ટીલેટર સાથેના આઇ.સી.યુ. અને સેન્ટ્રલી કનેકટેડ ઓકસીજનની સુવિધા સાથે કુલ ૪૩ બેડની કરાયેલ વ્યવસ્થા કોવિડ-૧૯ની મહામારીમાં કોરોના દર્દીઓની સારવાર માટે તમામ સુવિધા સાથે અમે ૨૪ કલાક તત્પર … Read More

મુખ્યમંત્રીશ્રીના “ટેસ્ટ ઇઝ બેસ્ટ”ના મંત્રને ચરિતાર્થ કરતું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ

ફરજ પરના ૧૩૨ કર્મચારીઓએ કરાવ્યો કોરોના ટેસ્ટ, બે કર્મચારીઓ પોઝિટિવ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૧૬ સપ્ટેમ્બર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ  “ટેસ્ટ ઇઝ બેસ્ટ” નું સૂત્ર આપીને કોરોનાથી ડર્યા વગર કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે: ડો. સાંગે ચોડન લેપ્ચા

પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે તેથી ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું: ડો. સાંગે ચોડન … Read More