Rail Signal

Railway Signals: વાંકાનેર–નવલખી સેક્શનમાં સિગ્નલોનું સ્થળાંતર: સુરક્ષા અને સંચાલન ક્ષમતાને મળશે વેગ

રાજકોટ, 21 એપ્રિલ: Railway Signals: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલ્વે સુરક્ષા અને ટ્રેન સંચાલનને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, વાંકાનેર–નવલખી સેક્શનમાં એપ્રિલ 2026 દરમિયાન કુલ 8 રાઈટ હેન્ડ સાઈડ (RHS) સિગ્નલોને લેફ્ટ હેન્ડ સાઈડ (LHS) માં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ કામગીરીમાં મુખ્યત્વે મોરબી, બરવાળા રોડ, દહીસરા તથા એલસી-64 (બરવાળા રોડ–દહીસરા) જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે.

આ ટેકનિકલ અપગ્રેડેશન ભારતીય રેલ્વેના ધોરણો મુજબ કરવામાં આવ્યું છે, જેથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત, સરળ અને કાર્યક્ષમ બની શકે.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

સિગ્નલ શિફ્ટિંગના મુખ્ય ફાયદા:

  1. સુરક્ષામાં નોંધપાત્ર વધારો : LHS માં સિગ્નલ સ્થાપિત થવાથી SPAD (Signal Passed At Danger) ની શક્યતામાં ઘટાડો થાય છે, જેનાથી ટ્રેન સંચાલન વધુ સુરક્ષિત બને છે.
  2. સમયસર નિર્ણય લેવામાં મદદરૂપ: સિગ્નલની સ્પષ્ટ અને સમયસર દૃશ્યતાને કારણે લોકો પાયલટને બ્રેક મારવા અને ગતિ નિયંત્રિત કરવા માટે પૂરતો સમય મળે છે, જેનાથી અચાનક બ્રેકિંગની જરૂરિયાત ઘટે છે.
  3. લોકો પાયલટ માટે બહેતર વિઝિબિલિટી: ડાબી બાજુએ સિગ્નલ હોવાથી તે ડ્રાઈવરની સીધી દૃષ્ટિમાં આવે છે અને દૃશ્યતામાં અવરોધ આવવાની શક્યતા ન્યૂનતમ રહે છે.
  4. માનકીકરણ (Standardization): ભારતીય રેલ્વેમાં મોટાભાગના સિગ્નલો LHS પર સ્થાપિત હોય છે, જેનાથી તમામ સેક્શનમાં એકરૂપતા જળવાઈ રહે છે અને લોકો પાયલટ માટે સંચાલન સરળ બને છે. સુરક્ષિત રેલ સંચાલન તરફ એક મજબૂત ડગલું:

આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરીરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “વાંકાનેર–નવલખી સેક્શનમાં સિગ્નલોને રાઈટ હેન્ડ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડમાં સ્થાનાંતરિત કરવા એ રેલ્વે સુરક્ષાને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે. આ પ્રકારના ટેકનિકલ સુધારાથી માત્ર લોકો પાયલટને બહેતર દૃશ્યતા જ નથી મળતી, પરંતુ ટ્રેનોના સુરક્ષિત, વિશ્વસનીય અને સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવામાં પણ મહત્વની મદદ મળે છે.”