Free Drinking Water: રાજકોટ સ્ટેશન પર વિનામૂલ્યે પીવાના પાણીના વિતરણ
Free Drinking Water: ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત: રાજકોટ સ્ટેશન પર વિનામૂલ્યે પીવાના પાણીના વિતરણની સરાહનીય પહેલ
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 03 મે: ભીષણ ગરમી અને વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને મુસાફરોને રાહત આપવા માટે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા એક સંવેદનશીલ અને જનહિતકારી પહેલ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોને 250 મિલીની 2400 પીવાના પાણીની બોટલોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વ્યવસ્થાથી સ્ટેશન પર હાજર મુસાફરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને કાળઝાળ ગરમીમાં મોટી રાહત મળી હતી.
આ સેવા એનજીઓ ગુરુદ્વારા દુખ નિવારણ સમિતિ, રાજકોટ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. આ અભિયાનને સફળ બનાવવામાં રાજકોટ ડિવિઝનના વાણિજ્ય વિભાગના કોમર્શિયલ ઇન્સ્પેક્ટરો અને ટિકિટ ચેકિંગ સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી અને વિતરણ કાર્ય સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંપન્ન કર્યું હતું.
આ પ્રસંગે રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, “ભીષણ ગરમી દરમિયાન મુસાફરોને રાહત આપવી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ પ્રકારની જનહિતકારી પ્રવૃત્તિઓ નિયમિતપણે આયોજિત કરવામાં આવી રહી છે. આ પહેલ અમારી સામાજિક પ્રતિબદ્ધતા અને મુસાફરોના હિત પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.”
