જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…
રિપોર્ટ:જગત રાવલ
૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) મ્યુ. ફાયનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી હાજર રહ્યા હતા.
ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશેના મંત્ર સાથે આપણે ગુજરાતમાં કોરોનાને નિયંત્રિત કરી શક્યા છીએ.
કોરોના સંક્રમિત વ્યક્તિઓને આરોગ્ય પરીક્ષણ-ટેસ્ટિંગ દ્વારા શોધી કાઢી તેમની સમયસર ભાળ મેળવી સારવાર માટે કરેલી તાકીદને પગલે રાજ્યમાં ટેસ્ટીંગની સંખ્યા ઉત્તરોતર વધતી જાય છે.