જામનગરના જોડિયાગામનો જર્જરીત કોઝ વે રાહદારીઓ માટે જોખમરૂપ..
સાગરખેડુ અને મંદિર ના દર્શનાર્થીઓ માટે એકમાત્ર માર્ગ બિસમાર બન્યો
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયાગામ ના છેવાડે. અને ઉંડ નદી ના કાંઠે આવેલ અતિ પ્રાચીન રાધા કૃષ્ણ મંદિર આવેલ છે જે દર પુનમે ગામ ના ભાવિકો દ્વારા પુનમ ભરવા જતા હોય છે ચોમાસામાં નહિ પંરતુ મંદિર વિસ્તારમાં આવેલ.. કો-ઝવે જે અતિશય બિસ્માર બન્યો છે
ચાલું વષે ચોમાસા દરમ્યાન ઉપરોક્ત કોઝવે પર ગામ ના એક સસ્તા અનાજ ના એક દુકાન ના ભાર ખટારા કોઝવે થી પસાર થતાં સમયે ખુંચી જતાં તેનાં કારણે કોઝવે પર ગાબડું પડેલ છે ગામલોકો માંગણી કરી રહ્યાં છે કોઝવે નુ વહેલી તકે સમારકામ સ્થાનિક તંત્ર કરે તેનુ મુખ્ય કારણ ઉપરોક્ત કોઝવે જે ખેડૂતો અને સાગર ખેડુ માટે એકમાત્ર રસ્તો છે