રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો નિર્ણય
રાજયમાં વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય
ગાંધીનગર, ૦૪ ઓક્ટોબર
- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયથી ૫૦ લાખ જેટલાં ગરીબ-સામાન્ય વર્ગના લોકોને લાભ થશે
- હવે NFSAના મળવાપાત્ર તમામ લાભો આ વધુ ૧૦ લાખ પરિવારને પણ મળશે
- રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ આ અનાજ વિતરણનો લાભ અપાશે
- NFSAમાં સમાવિષ્ટ ન હોય તેવા BPL પરિવારોને પણ હવે ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે
- શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મીની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદના સ્પર્શી અભિગમ
- બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને NFSA લાભ આપી રાહત દરે અનાજ વિતરણ થશે
આ યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા મુખ્યમંત્રીશ્રીની સ્પષ્ટ સૂચના
રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ