Care in pandemic time: કોરોના હજી ગયો નથી, ત્રીજી લહેરના એંધાણ છે- પોતાની અને પરિવારની સુરક્ષા પોતાના હાથમાં જ છે!
Care in pandemic time: કોરોનાં ની બીજી લહેર ની શરૂઆત માં ઘણાં ન બનવા નાં બનાવો બન્યાં હતાં, અને ઘણી બધી વસ્તુંઓની તંગી જોવાં મળી હતી. ઓક્શિજન ના બોટલો, હોસ્પિટલો માં બેડ, સ્મશાન ગૃહ વગેરે માટે લાંબી લાંબી કતારો જોવાં મળી હતી.
Care in pandemic time: અત્યારે કોરોના નાં કેશો જેમ જેમ ઓછા થઈ રહ્યાં છે, તેમ તેમ લોકો એ ઘરો ની બહાર નીકળવાનું ફરીથી શરૂ કર્યું છે. પરંતુ લોકો એ વાત ભુલી ગયાં છે કે કોરોના અજી ગયો નથી. એટલે આપણે તેનાં નિયમો અને ગાઈડલાઈન નું પાલન કરવાનું છે અને સાવધાની જાળવવાંની છે. દરેક લોકો આજે માસ્ક વગર જોવાં મળે છે, કોઈ પણ વ્યક્તિ સોસિયલ ડિસ્ટેન્સ નથી રાખતું, ટોળે વળીને લોકો અવે ફરતાં નજરે પડે છે. છેલ્લાં એક મહીના માં કોરોના નાં કેસો માં ઘટાડો આવી ગયો હતો, પરંતુ અવે ફરીથી ધીરે ધીરે કેસો વધવાં લાંગ્યાં છે. પરંતુ લોકો તો જાણે કોરોના થી બચવાનાં નિયમો અને સાવધાની વતઁવાનું ભુલી જ ગયાં છે.
થોડા સમય પહેલાં જ નૈનીતાલ, ગોવાં વગેરે જેવાં પર્યટક સ્ટળો અને દર્શન માટે મંદિરો પણ ખોલી દેવાયાં છે. જ્યાં જુઓ ત્યાં લોકો બહોળી સંખ્યાં માં ભેગાં થાય છે અને સોસિયલ ડિસ્ટેન્સનાં તો જાણે ધજાગરાં ઊડાવી રહ્યાં છે. એટલું જ નહિ પણ મોલ, સિનેમાહોલ, શોપિંગસેન્ટર, માર્કેટો અને આ સિવાય અન્ય દુકાનોને પણ ખોલવાં માટે ની મંજુરી સરકારે જનતાને આપી દીધી છે. બધું ખુલતાં ની સાથે જ લોકો બજાર માં એવી રીતે બમણી રહ્યાં છે કે જાણે મીઠાઈ ઉપર માખી નાં બમણતી હોય! છેલ્લાં કેટલાક દિવસ થી તો બાળકોનાં સ્કુલ, કોલેજો પણ ૫૦% ની હાજરી સાથે શરૂ કરી દેવાયા છે. પરંતુ માતા પિતા કોરોના નાં ડરથી પોતાનાં બાળકોને સ્કુલ, કોલેજ મોકલતાં વિચાર કરે છે. જ્યાં બીજી તરફ બાળકો અને શીક્ષકો સ્કુલો, કોલેજો ખુલવાંથી ખુબ જ ખુશ થઈ રહ્યાં છે.
કોરોનાં ની બીજી લહેર ની શરૂઆત માં ઘણાં ન બનવા નાં બનાવો બન્યાં હતાં, અને ઘણી બધી વસ્તુંઓની તંગી જોવાં મળી હતી. ઓક્શિજન ના બોટલો, હોસ્પિટલો માં બેડ, સ્મશાન ગૃહ વગેરે માટે લાંબી લાંબી કતારો જોવાં મળી હતી. આ જ બધું ધ્યાન માં રાખીને સરકારે આ વખતે ત્રીજી લહેર આવે એ પહેલાં જ તેની બધી તૈયારીઓ રાખી છે કે જેથી કરીને આ વખતે ફરીથી એવી જ વિકટ પરિસ્થિતિ નાં સર્જાય. સરકાર ત્રીજી લહેર ને લઈને ખુબ જ ચિંતિત છે, પરંતુ લોકો કઈ પણ સમજવાં માટે તૈયાર જ નથી. લોકો મન ફાવે તેમ ગમે તે જગ્યાંએ ગમે તેમ ફર્યા કરે છે, ના તો મોઢા ઉપર માસ્ક રાખે છે, ના તો સોસિયલ ડિસ્ટેન્સ જાળવે છે. ICMR એ જણાવ્યું છે કે લોકડાઉન માં છુટ નાં કારણે કોરોના નાં કેસોમાં ઝડપથી વધારો થઈ શક છે. તેથી લોકોએ બને તેટલું લગ્ન સમારોહ અને ભીડભાડ વાળી જગ્યાએ જવાથી બચવું જોઈએ.
કેરળ માં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના નાં એક્ટિવ કેસોમાં ઉછાળો જોવાં (Care in pandemic time) મળી રહ્યો છે. ઓરિસ્સા માં પણ નવી ગાઈડલાઈન સાથે ૨૬ જુલાઈથી ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં કોરોના વાયરસ ની બીજી લહેર હજી પુરી પણ થઈ નથી, કે ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. ઘણાં રાજ્યોમાં લોકડાઉન માં રાહત અને હિલસ્ટેશનમાં ઝડપથી વધી રહેલી ભીડ જોઈને એવું અનુમાન લગાવવાંમાં આવી રહ્યું છે કે હવે બંધુ સામાન્ય થઈ ગયું છે, પરંતુ એવું નથી. લોકોની બેદરકારીને કારણે દેશની પરિસ્થિતિ ઝડપથી કથળી રહી છે.
Combing Tips : વાળ ઓળાવતી વખતે તમે પણ કરો છો આ ભૂલો? તો તેના કારણે પણ વાળ ખરવા લાગશે…
ઘણાં રાજ્યોમાં કોરોના નાં વધતાં જતાં કેસોને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નાં મુખ્ય વૈજ્ઞાનિક પ્રોફેસર સમીરન પાંડાએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોના ની (Care in pandemic time) ત્રીજી લહેર ઓગસ્ટનાં અંત સુધીમાં જ ભારતમાં આવી જશે. તેનો અંદાજો એવો લગાવાયો છે કે તે સમયે દરરોજ આશરે ૧ લાખ સુધીનાં કેસ સામે આવે એવી સક્યતાં છે.ICMR એ એવું પણ જણાવ્યું છે કે વાયરસ તેનાં સ્વરૂપમાં ફેરફાર કરે છે, તેથી પરિસ્થિતિ ખુબ જ ખરાબ અને ભયંકર થઈ શકે છે. તેવાં સમયે વેક્સિન લઈને કોરોનાં સંક્રમણનો દર ઘટાડી શકાય છે.
દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.