Dhirendra shastri

Dhirendra Shastri on Sakshi murder: સાક્ષીની હત્યા પર ગુસ્સે થયા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી, કહ્યું- આ જોઈને જેનું લોહી…

Dhirendra Shastri on Sakshi murder: આ જોઈને જેનું લોહી ઉકળે નહીં તે તો મરી ચૂક્યો છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

અમદાવાદ, 30 મેઃ Dhirendra Shastri on Sakshi murder: દિલ્હીમાં સાક્ષીની હત્યાની હોરર સ્ટોરીને લોકો લવ જેહાદ કહી રહ્યા છે. આ દરમિયાન હંમેશા હિંદુ રાષ્ટ્રનો ધ્વજ લહેરાવનાર બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ સાક્ષીની ઘાતકી હત્યા પર નિવેદન આપ્યું છે.

આપને જણાવી દઈએ કે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ચાલતા રસ્તા પર એક સગીર હિંદુ છોકરી પર માથાફરેલ તીક્ષ્ણ છરીથી 21 વાર હુમલો કર્યો અને આટલું કરીને પણ તેને સંતોષ ન થયો તો તેણે છોકરીનું માથું પથ્થરથી કચડી નાખ્યું. 

સાક્ષીની હત્યા પર બાગેશ્વર બાબાએ શું કહ્યું?

બાગેશ્વર બાબાએ સાક્ષીની હત્યા પર કહ્યું છે કે સાક્ષીની હત્યાથી હું ખૂબ જ દુઃખી છું. આ જોઈને જેનું લોહી ઉકળે નહીં તે તો મરી ચૂક્યો છે. બાગેશ્વર બાબાએ કહ્યું કે લોકો અમને કટ્ટરવાદી કહે છે. લોકો અમને કહે છે કે અમે વિવાદાસ્પદ વાત કરીએ છીએ, દંગાઈઓની જેમ વાત કરીએ છીએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, દુનિયામાં એવો કોઈ ભાઈ નહીં હોય કે જેનું લોહી પોતાની બહેનોની આવી હાલત જોઈને ઉકળે નહીં. અને જેનું લોહી આ જોઈને ઉકળતું નથી તે મરી ચુક્યો છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ કરીએ છીએ. તેથી જ અમે કહીએ છીએ કે આપણું સનાતન મારવાનું નથી શીખવતું, બચાવવાનું શીખવે છે.

સાહિલને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો

જણાવી દઈએ કે આરોપી સાહિલની ધરપકડ કર્યા બાદ યુપી પોલીસ તેને બુલંદશહેરથી દિલ્હી લાવી રહી છે. બીજી તરફ સાક્ષીના માતા-પિતા તેમની પુત્રીની હત્યા બાદ ખૂબ જ પરેશાન છે. તેઓએ સાહિલને ફાંસી આપવાની માંગ કરી છે. સાક્ષીના આજે દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

પિતાએ કહ્યું કે તે સાહિલને ઓળખતા નથી, તેને સખત સજા થવી જોઈએ. સમાચાર છે કે સાક્ષીના હત્યારા સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. રોહિણી કોર્ટે સાહિલને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે.

આ પણ વાંચો… Train route block: એન્જિનિયરિંગ બ્લોકને કારણે આ ટ્રેનો પ્રભાવિત રહશે, જુઓ સંપૂર્ણ યાદી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો