ram rahim

Gurmeet Ram Rahim case: રણજીત સિંહ હત્યાકાંડમાં ડેરા પ્રમુખ રામ રહીમ નિર્દોષ જાહેર- વાંચો વિગત

Gurmeet Ram Rahim case: હાઈકોર્ટે આ કેસમાં ડેરા પ્રમુખ સહિત વધુ પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા.

google news png

નવી દિલ્હી, 28 મેઃ Gurmeet Ram Rahim case: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મોટી રાહત આપી છે. રણજીત સિંહ હત્યા કેસમાં હાઈકોર્ટે ગુરમીત રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના આજીવન કેદના આદેશને ફગાવી દીધો હતો.

હાઈકોર્ટે આ કેસમાં ડેરા પ્રમુખ સહિત વધુ પાંચ લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. રણજીત સિંહ હત્યા કેસમાં પંચકુલાની સીબીઆઈ કોર્ટે ગુરમીત રામ રહીમને 2021માં આજીવન કેદની સજા અને 31 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તમને જણાવી દઈએ કે રણજીત સિંહની 2002માં હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- Pre Wedding Celebration Card: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજા પ્રી-વેડિંગનું Card થયું વાયરલ- વાંચો સંપૂર્ણ વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો