સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ કોરોના વેક્સિનના રવાના,જુઓ Exclusieve વિડિઓ

Z+ સિક્યુરિટીમાં કોરોના વેક્સિન ટ્રાન્સપોર્ટ:પુણેથી પહેલી બેચ દિલ્હી આવી – સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, દરેક બોક્સનું વજન 32 કિલો વેક્સિન સૌથી પહેલાં અમદાવાદ શહેરને મળશે – પુણેથી … Read More

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આત્મનિર્ભર ભારતનું સપનું પૂરૂં કરવાની દિશામાં કોલસા ક્ષેત્રએ એક મહત્વપૂર્ણ મુકામ પાર કર્યો: અમિત શાહ

અમદાવાદ, ૧૧ જાન્યુઆરી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં કોલસા ખાણકામ ક્ષેત્ર માટે ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ વેબ પોર્ટલ’નું ઉદ્દઘાટન કર્યું હતું. શ્રી અમિત શાહે દેશની પ્રથમ વ્યાપારી કોલસા … Read More

અમદાવાદથી દોડતી કેટલીક સ્પેશિયલ ટ્રેનોને અસર થશે

અમદાવાદ,૧૦જાન્યુઆરી:પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી દક્ષિણ પશ્ચિમ રેલ્વેના હુબલી ડિવિઝનના યાર્ડના રિમોડેલિંગના કામ માટે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે અને કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે: રદ કરાયેલ ટ્રેનો: – 1.  23 જાન્યુઆરી 2021 ના રોજ બેંગલોરથી ચાલનારી ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર – ગાંધીધામ સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના રોજ ગાંધીધામ થી ચાલનારી ટ્રેન નંબર 06505 ગાંધીધામ – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ રદ રહેશે. 2.  23 જાન્યુઆરી 2021 ના રોજ જોએસપુરથી ચાલતી ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ અને 25 જાન્યુઆરી 2021 ના રોજ કેએસઆર બેંગલુરૂથી ચાલતી ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ રદ રહેશે. 3.  24 જાન્યુઆરી 2021 ના ​​રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 06209 અજમેર – મૈસુર સ્પેશિયલ અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ મૈસુરથી ચાલતી ટ્રેન નંબર 06210 મૈસુર – અજમેર એક્સપ્રેસ રદ રહેશે. ડાયવર્ટ ટ્રેનો:- 1.  ટ્રેન નંબર 06587 યસવંતપુર – બીકાનેર સ્પેશિયલ 22 અને 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 2.  ટ્રેન નંબર 06588 બીકાનેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 અને 26 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 3.  ટ્રેન નંબર 04805 યસવંતપુર – બાડમેર એક્સપ્રેસ સ્પેશિયલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ દાવનગેરે, અમરાવતી, કોટુરુ, હોસપેટ અને ગડગ સ્ટેશનો થઇને દોડશે. 4.  ટ્રેન નંબર 04806 બાડમેર – યસવંતપુર એક્સપ્રેસ સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 ના ​​રોજ ગડગ, હોસપેટ, કોટુરુ, અમરાવતી અને દાવનગેરે સ્ટેશનો થઇને દોડશે. 5.  ટ્રેન નંબર 06205 કેએસઆર બેંગ્લોર – અજમેર એક્સપ્રેસ સ્પેશિયલ 22 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ થઈને ચાલશે. 6.  ટ્રેન નંબર 06206 અજમેર – કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશ્યલ 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશનો થઇને દોડશે. 7.  ટ્રેન નંબર 06533 જોધપુરની કેએસઆર બેંગ્લોર એક્સપ્રેસ સ્પેશિયલ 27 જાન્યુઆરી 2021 ના ​​રોજ નોવાલુરુ અને કુસુગલી સ્ટેશન્સ થઇને દોડશે. 8.  ટ્રેન નંબર 06534 કેએસઆર બેંગ્લુરુ – જોધપુર એક્સપ્રેસ સ્પેશિયલ 24 જાન્યુઆરી 2021 ના ​​રોજ કુસુગલી અને નોવાલુરુ સ્ટેશનો થઇને દોડશે. આ પણ વાંચો…..અનંત પટેલની કલમેઃ કૂપન ચોંટાડો….. ફ્રી ગિફ્ટ મેળવો..

માસ્ક વિશે A to z લેખક – બકુલ ડેકાટે

૧૯૧૫-૧૯૧૮ના અરસામાં સ્પેનમાંથી ફાટી નીકળેલા રોગચાળા માટે જવાબદાર વાઇરસ/બીમારીને ઉદગમસ્થાન પરથી નામ આપવામાં આવ્યું ‘સ્પેનિશ ફ્લુ’. ૧૯૭૬માં એક કાળમુખા વાઇરસે આફ્રિકામાં રોગચાળો ફેલાવ્યો હતો. વૈજ્ઞાનિકો હજી પણ તેના ઉદગમસ્થાન વિશે … Read More

પશ્ચિમ રેલવે દોડાવશે અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ – બાન્દ્રા ટર્મિનસ અને અમદાવાદ-યોગનગરી ઋષિકેશ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે :- 1.ટ્રેન નં.09029/09030 બાંદ્રા … Read More

અજમેર-કેએસઆર બેંગ્લોર અને જોધપુર – કેએસઆર બેંગલુરુ સ્પેશિયલના મહેસાણા સ્ટેશનના સમયના બદલાવ

અમદાવાદ, ૦૮ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ દિવિજનના મહેસાણા સ્ટેશન પર ટ્રેન નંબર 06206 અજમેર-કેએસઆર બેંગ્લોર અને ટ્રેન નંબર 06507 જોધપુર – કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં … Read More

ભાવનગર-કાકીનાડા સાપ્તાહિક વિશેષ ટ્રેનમાં કાયમી ધોરણે એક એર કંડિશન્ડ વધારાના કોચ રહેશે

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: મુસાફરોની સગવડતા માટે, 09 જાન્યુઆરી 2021 (શનિવાર) થી ભાવનગર ડિવિઝનની ભાવનગર-કાકીનાડા-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (07203/07204) માં કાયમી ધોરણે એક વધારાનો એર કંડિશન્ડ કોચ (First cum 2nd AC coach) જોડવામાં … Read More

રણુજ- ધિણોજ સ્ટેશનોની વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17 બંધ રહેશે.

અમદાવાદ, ૦૭ જાન્યુઆરી: અમદાવાદ ડિવિઝનના મહેસાણા- પાટણ રેલખંડના રણુજ- ધિણોજ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં.17  કિમી.18 /67 નિયમિત ટ્રેક મેન્ટેનન્સની કામગીરીન કારણે (એક દિવસ) 8 જાન્યુઆરી 2021 ના સવારે 10:00 કલાકથી સાજના 19:00 કલાક સુધી બંધ રહેશે. આ રસ્તાનો ઉપયોગ કરનારાઓ ઉક્ત સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નં. 21 અને 13 થી અવરજવર  કરી શકશે.  આ પણ વાંચો…2 હજાર મરઘાના મોતઃ ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી?રાજ્યના પશુપાલન વિભાગ મંત્રીએ કર્યો ખુલાસો

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે

મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 12 દિવસથી મૃત્યુઆંક 300થી નીચે નોંધાયો કુલ સક્રિય કેસનું ભારણ 2.27 લાખ જે કુલ કેસમાં વધુ ઘટીને 2.19% થયું યુકેમાં મળેલા નવા મ્યૂટન્ટ સ્ટ્રેઇનના કારણે … Read More

હોંગકોંગ સ્થિત માતા-પુત્રી અને મુંબઇ સ્થિત નાની સહિત ત્રણેય એક સાથે સંયમનો માર્ગ અપનાવશે

હોંગકોંગમાં સાયકોલોજીની ડીગ્રી મેળવનાર પરીશી સુરતમાં દિક્ષા ગ્રહણ કરશે પરીશી સાથે તેની માતા અને નાની પણ દિક્ષા અંગીકાર કરશે અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલ … Read More