આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૨૬ નવા દર્દીઓ નોંધાયા ૭૪૪ દર્દીઓ સાજા થયા
ગાંધીનગર, ૨૧ જુલાઈ ૨૦૨૦
આજ રોજ રાજ્યમાં ૧૦૨૬ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૪૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૬૨,૬૮૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૧૬,૫૨૦ વ્યક્તિઓને ક્વૉરેન્ટાઈન કરવામાં આવ્યા છે જે પૈકી ૪,૧૩, ૮૧૯વ્યક્તિઓ હોમ કવૉરેન્ટાઈન છે અને ૨,૭૦૧ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેનટાઈલમાં રાખવામાં આવ્યા છે.
હાલ રાજ્યમાં વેન્ટીલેટર પર ૮૨ અને સ્ટેબલ ૧૧૭૭૯ કુલ દર્દીઓ છે.