Bhupendra Patel

Bhupendra patel offered prayers at vardayini mataji temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરદાયિની માતાજીના મંદિરમાં પૂજન-અર્ચન કર્યા

Bhupendra patel offered prayers at vardayini mataji temple: ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પ્રસંગે મુખ્યમંત્રી રૂપાલમાં આયોજિત સંમેલનમાં જિલ્લાના કાર્યકરો સાથે સહભાગી થયા

ગાંધીનગર, 06 એપ્રિલ: Bhupendra patel offered prayers at vardayini mataji temple: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થ રૂપાલ ખાતેના વરદાયિની માતાજીના મંદિરમાં ચૈત્રી પૂર્ણિમા પર્વ પ્રસંગે ભક્તિ ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન પ્રસંગે મુખ્યમંત્રી રૂપાલમાં આયોજિત સંમેલનમાં જિલ્લાના કાર્યકરો સાથે સહભાગી થયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના લાખો કાર્યકર્તાઓને વેબ કાસ્ટીંગ દ્વારા આપેલું પ્રેરણાદાયી માર્ગદર્શન મેળવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાર બાદ વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન માટે પહોંચ્યા હતા. તેમણે ગુજરાતના ઉત્તરોત્તર સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે તેમજ સૌના સુખ, સમૃદ્ધિ, સુખાકારી માટે વરદાયિની માતાના કૃપા આશિષ સતત વરસતા રહે તેવી પ્રાર્થના પણ ભક્તિ ભાવપૂર્વક માતાજીની આરતીથી કરી હતી.

આ પણ વાંચો: Bank FD increased: આ સરકારી બેંકે પહેલ કરી અને FD પર વ્યાજ વધાર્યું, જાણો તેના વિશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો