બ્રેકિંગ : ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પરત ખેચિયું. ભાજપ દ્વારા તમામ મુદ્દે ઉકેલ લાવવાની ખાતરી
અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૩૦ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો હતો. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો હતો પરંતુ આ જાહેરાત બાદ થયેલા રિસામણા-મનામના બાદ આખરે આજે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું છે. તેઓએ કહ્યું કે, સરકાર કે પક્ષથી મને કોઈ તકલીફ નથી. બીમારી અને આરામ કરવાના ઉદ્દેશથી મેં રાજીનામું આપ્યું હતું. પરંતુ કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત બાદ મેં મારો નિર્ણય બદલ્યો છે. સાંસદ તરીકે હું ચાલુ રહીશ. રાજીનામાનો નિર્ણય પાછો લઉં છું.
આ પણ વાંચો….
loading…