દ્વારકાના હડિયાળામાં ધસમસતા પુરમાં ત્રણ જણા તણાયા…
રિપોર્ટ:જગત રાવલ,જામનગર
દ્વારકા જીલાના હડમતીયા ગામ પાસેની નદીમાં 3 તણાયા જતા એરેરાટી ફેલાઈ જવા પામી હતી
નદીના ધસમસતા પ્રવાહમાં ત્રણ જણા માંથી એક નો આબાદ બચાવ થયો છે જ્યારે અન્ય 2 ની શોધખોળ કરવામાં આવી રહી છે.ભારે પૂરના કારણે નદીમાં 3 તણાયેલા વ્યક્તિમાંથી એક ને લોકોએ બચાવી લઈ બહાર કાઢ્યો હતો.અન્ય 2 ની શોધખોળ ગ્રામજનો દ્વારા તેજ કરવામાં આવી છે,
પ્રાથમીક માહિતી મુજબ ધસમસતા પુરમાં ખાનગી કમ્પની માં સિક્યુરિટીમાં ફરજ બજાવતા 3 વ્યક્તિઓએ નદી પાર કરવાનું જોખમ ઉઠાવતા પુર માં તણાય ગયા હતા.