પશ્ચિમ રેલ્વે દ્વારા પ્રવાસી શ્રમિકો ને ટ્રેક પર ન ચાલવા અપીલ

અમદાવાદ, ૧૦ મે ૨૦૨૦

પશ્ચિમ રેલ્વેએ પ્રવાસી શ્રમિકો ને પોતાની સલામતીને ધ્યાનમાં રાખીને રેલ્વે ટ્રેક પર ન ચાલવા અપીલ કરી છે. પશ્ચિમ રેલ્વે દ્વારા જારી કરવામાં આવેલી અડવાઈજરી માં જણાવાયું છે કે પેસેન્જર ટ્રેનો બંધ હોવા છતાં, દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ સપ્લાય કરવા માટે પાર્સલ સ્પેશિયલ ટ્રેનો અને ગુડ્સ ટ્રેનો સતત દોડાવવામાં આવી રહી છે. આ સિવાય, પરપ્રાંતિય કામદારોને તેમના રાજ્યોમાં લઇ જવા અને સંચાલન ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલ્વે અને અન્ય ઝોનલ રેલ્વે દ્વારા પણ શ્રમિકો સ્પેશલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. 10 મે, 2020 સુધીમાં, પશ્ચિમ રેલ્વે દ્વારા 191 શ્રમિક સ્પેશલ ટ્રેનો દોડાવવામાં આવી છે, જેમાં 2.25 લાખ લોકો ઇચ્છિત સ્થળોએ પહોંચ્યા છે. તેથી, પશ્ચિમ રેલ્વે તમામ પરપ્રાંતિય શ્રમિકો ને ધીરજ રાખવા અને રેલ્વે ટ્રેક ઉપર ન ચાલવા અથવા આરામ માટે ટ્રેકનો ઉપયોગ ન કરવાની અપીલ કરે છે, કેમ કે આમ કરવું ખૂબ જ જોખમી છે અને કાનૂની ગુનો પણ છે.

બધા પ્રવાસી શ્રમિકો, જે તેમના રાજ્યોમાં જવા તૈયાર છે, તેઓએ નજીકના જિલ્લા અધિકારીઓ / નોડલ અધિકારીઓને સંપર્ક કરવા માટે અરજી કરવી જોઈએ, જેથી રાજ્ય સરકાર તેમને ટ્રેનો દ્વારા મોકલવાની વ્યવસ્થા કરી શકે.

  • રવિન્દ્ર ભાકર,મુખ્ય જનસંપર્ક અધિકારી,
    પશ્ચિમ રેલ્વે